SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૩] ૬. પ્રાયશ્ચિતદ્વાર – સમ્યક્ દ્વાર ૧૧૨ જે (દોષ) જેવા (ક્રમે) સેવવામાં આવેલો હોય, તેને તે ક્રમે આલોચના કરનાર પ્રગટ કરે છે, તે આ-સેવના પ્રકટ કરવાનો આનુલોમ્ય ક્રમ છે. ૨. અને આલોચનાનુલોમ્ય તે છે કે નાના અપરાધોને પછી, અને મોટા અપરાધોને (પહેલાં) પ્રગટ કરે=આલોચે. ♦ “શી રીતે ?’’ તે જણાવે છે- “ના” કૃતિ પંચ-શજ વગેરેના ક્રમે જે રીતે પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય, તે રીતે ચાલુ વસ્તુને પ્રગટ કરે. ↑ અહીં “નાનો અતિચાર લાગ્યો હોય, તો પંચક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અને મોટો અપરાધ કર્યો હોય, તો દશક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે અને તેથી મોટા અપરાધ હોય, તો પંચદશક (પંદર) નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે.” એ વગેરે સમજી લેવા. ૐ અહીં સમજવાનું એ છે કે “ગીતાર્થ હોય તે આલોચનાના આનુલોમ્પે કરીને આલોચના કરે છે. “તેનું કારણ ?” “તે [ક્રમને] ગીતાર્થો જાણતા હોય છે.” અને આલોચના કરનારા બીજા આત્માઓ તો આ-સેવનાના આનુલોમ્યના ક્રમે કરીને આલોચના કરે છે. કેમ કે તે આલોચનાના અનુલોમના ક્રમને જાણતા નથી હોતા. અને તેવા આત્માઓને, એ જ રીતે, અતિચારો બરાબર યાદ આવતા હોય છે. ૫૧, ૫૨. હવે, સમ્યક્ દ્વારનું વિવરણ કરવામાં આવે છે, તફ, આદૃિગ, તપ-માય, પ્પા, તદ્દાય નયળા! | વો, સંમમ-રે, નહ-દુર્ગ સત્વમા નોપુ ॥૧૩॥ [પંચાશક-૧૫. ગા.-૧૮] “ત્યાર પછી આકુટ્ટિકા, દર્પ, પ્રમાદ, કલ્પ, યતના, કાર્ય, ગભરાટનો પ્રસંગ, અને એ સર્વ જેમ હોય, તેમ આલોચના કરે.” ‘‘તન્ન, આદૃિગ' ત્તિ વ્યારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy