SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ “બારિયા ” રિા થાક્યા ૪ ૧. સાધુએ કે શ્રાવકે નિયમથી પહેલાં તો પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેનો યોગ ન હોય તો, પોતાના ગચ્છના ઉપાધ્યાયની પાસે અને એ પ્રમાણે પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદકની આગળ આલોચના કરવી જોઈએ. ? ૨. તેનો યોગ ન હોય તો, સાંભોગિક એટલે એક સામાચારી ધરાવતા બીજા ગચ્છના આચાર્યાદિકને ક્રમે, ઉપર જણાવ્યા પ્રમાણેની પાસે એ પ્રમાણે આલોચના કરવી. ૩. તેનો જોગ ન હોય તો, અસાંભોગિક સંવિગ્ન-બીજા ગચ્છમાં એ જ ક્રમે આલોચના કરવી. જે ૪. તેઓનો જોગ ન હોય તો, ગીતાર્થ પાસસ્થાની આગળ. પ. તેનો જોગ ન હોય તો, ગીતાર્થ સારૂપિકની આગળ. જે ૬. તેનો જોગ ન હોય તો, ગીતાર્થ પશ્ચાતુફતની આગળ આલોચના કરવી. ( અહીં સારૂપિક એ કહેવાય કે, ધોળાં વસ્ત્ર પહેરે, મુંડન કરાવે, કાછડી રાખ્યા વિના નીચેનું વસ્ત્ર છૂટું પહેરે, રજોહરણ ન રાખે, બ્રહ્મચારી ન હોય, પત્નીરહિત હોય અને ભિક્ષા લઈ આજીવિકા ચલાવતો હોય. અને સિદ્ધપુત્ર તે કહેવાય કે, જે શિખા ધારણ કરે અને પત્ની સહિત હોય પશ્ચાતકત તે કહેવાય, કે જે ચારિત્રનો-મુનિનો વેશ છોડીને ગૃહસ્થ થઈ ગયેલ હોય. છે તેથી પાસત્થા વગેરેને પણ ગુરુની પેઠે વંદન વગેરે વિધિ કરવો. કેમ કે ધર્મનું મૂળ વિનય છે, માટે. છે પરંતુ જો પાસત્કાદિક પોતાને થોડા પુણ્યવાળા સમજીને વંદન ન કરાવે, તો તેને ઉચિત આસન ઉપર સ્થાપિત કરીને, પ્રણામ માત્ર' કરીને, તેની પાસે આલોચના કરવી. 1. ફિટ્ટાવંદન કરવું. અિથવા ગણાવચ્છેદક ની પાસે પણ આલોચના કરવી.] (નોંધઃ અહીં આ લખાણ બંધ બેસતું જણાતું નથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy