SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ગાથા-૫૦]. ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ સરળતા એટલે કે નિષ્કપટીપણું. વગેરે (ગુરુના) બીજા ગુણો પણ સમજી લેવા. તેમાં ગીતાર્થપણું એટલે અભ્યાસપૂર્વક નિશીથસૂત્ર વગેરે શ્રુતના-શાસ્ત્રના ધારણ કિરનાર. અનુમાપકપણું - એટલે અનુમાન કરવાની કુશળતા, એટલે કે ઈગિત આકાર વગેરેથી બીજાના મનની સ્થિતિનો નિર્ણય કરવાની કુશળતા ધરાવનાર. છે એ વગેરે ગુણોને ધારણ કરનાર ગુરુને પ્રાયશ્ચિત્ત દેવાને યોગ્ય ગુરુ તરીકે જિનેશ્વર ભગવંતોએ કહ્યા છે. It ઉપર બતાવેલા ગુણોમાં આચારવાળાપણું વગેરે ગુણો આલોચના કરવા યોગ્ય ગુરુના ઉપલક્ષણ રૂપે છે, તેથી કરીને “શુદ્ધિ કરાવવાની શક્તિ ધારણ કરવા સાથે ગીતાર્થપણું જેનામાં હોય, એ (આ પ્રસંગમાં) ગુરુ છે. એમ તેનું લક્ષણ સિદ્ધ થાય છે.” “આથી કરીને, પાસત્થા વગેરે પણ આ વિષયમાં) તેના ગુરુ લક્ષ્ય તરીકે ઘટે છે. એટલે કે ઉત્તર ગુણોથી શૂન્ય હોય તેવા ગુરુ ઘણે ભાગે શુદ્ધિ કરાવવામાં સમર્થ થઈ શકતા નથી.” એ અર્થ નીકળે છે. # એમ હોવાથી“જઘન્યથી એ વગેરે ગુણોયુક્ત (ગુરુ હોવા જોઈએ) ઉત્કૃષ્ટથી છત્રીસ વગેરે ગુણો ધરાવતા હોય, તેને ગુરુ સમજવા.” એ તત્ત્વ છે. ૪૯ 3 આલોચના આપવા યોગ્ય આચાર્યની સમજ હવેઉત્સર્ગ અને અપવાદે કરીને આપે છે ગારિયા-5s સ-ઓ, સંભોગ, સુગર, જય-પરિત્યે . સાવી, પછા-ડ, સેવા, વડવા, મારિદ, સિદ્ધો ૧ળા [ ] પોતાના ગચ્છના આચાર્ય વગેરે, સાંભોગિક ગચ્છના આચાર્ય વગેરે, બીજા ગચ્છના આચાર્ય વગેરે, ગીતાર્થ પાસત્થા, સારૂપિક, પશ્ચાત્તકૃત, દેવતા, પ્રતિમા, અરિહંત-ભગવંત અને સિદ્ધ ભગવંતો (પાસે આલોચના કરવી).” ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy