SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૯] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરૂ ૧૦૪ આવા ગુરુ બરાબરની શુદ્ધિ કરાવવામાં સમર્થ થાય છે. વર્તમાન કાળે પાંચમો (જીત) વ્યવહાર મુખ્ય છે. ૪. લજ્જા દૂર કરાવનાર - અપવ્રીડક એટલે કે, શરમથી પોતાના દોષો છુપાવતો હોય, તેને સુંદર ઉપદેશ આપીને, પોતાના દોષો કહેવાની શરમ છોડાવી દેનાર હોય છે. આવા જ ગુરુ આલોચના કરનારને ઘણા જ ઉપકારી થાય છે. પ. પ્રકુર્તી=અતિચાર દોષોની આલોચના કર્યા પછી, પ્રાયશ્ચિત દેવાપૂર્વક ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવે, તે ગુરુ પ્રકુર્તી કહેવાય. આચારશીલપણું વગેરે ઉપર જણાવેલા) ગુણો ધરાવવા છતાં, કોઈ (ગુરુ મહારાજ) શુદ્ધિ એટલે પ્રાયશ્ચિત્ત દેવાનું સ્વીકારતા નથી હોતા. તેનાથી જુદાપણું બતાવવા માટે પ્રકુર્વ ગુણ બતાવવામાં આવ્યો છે. ૬. અપરિશ્રાવી= આલોચના કરનારે કહેલાં (પોતાનાં) અપકૃત્યો બીજા કોઈને ન જ જણાવે. એવા (દઢ ગુરુ) અપરિશ્રાવી કહેવાય છે. આ સિવાયના હોય, તે (તેનાં અપકૃત્યો) બીજાને જણાવી દેવાથી, તેને (લોકમાં) હલકો પાડી નાંખે છે. (દોષ બહાર પડવા ન દે, ગુપ્ત રાખે.) ૨૭. નિર્યાપક=બરાબર નિર્વાહ કરે, એટલે કે “જેની જે પ્રમાણે શક્તિ હોય, તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે.” એ અર્થ છે. ( ૮. અપાયદર્શ=એટલે કે, અપાયોને જોનાર. અપાયો એટલે કે, દુકાળ, દુર્લભપણું વગેરે, આ લોકના અનર્થોને જાણે, અથવા અતિચાર દોષવાળા જીવોને ભવિષ્યમાં દુર્લભ-બોધિપણું વગેરે થતાં નુકસાનો સમજાવે, તે અપાયદર્શી. એટલા જ માટે આ નવા ગુરુ) આલોચના કરનારના ઉપકારી બને છે. ૪ ઉપલક્ષણથીગીતાર્થપણું, પરોપકાર કરવામાં તત્પરપણું, માપી લેવાની અનુમાન કરવાની-કુશળતા, 2. પિચાશક - ૧૫ ગાથા - ૧૫] 3. મનના અભિપ્રાયનું અનુમાન કરી શકનાર, પિંદરમાં પંચાશકની વૃત્તિ.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy