SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૭] ૫. દોષદ્વાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ ८८ 5 જૈન શાસનના મૂળ આધારભૂત મુનિ અને ચૈત્ય ઉપર ઉપદ્રવ કરીને ચોરીના ધનને ટેકો આપવાથી, જૈન શાસનની વિરાધના થતી હોવાનું સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે. 9 ↑ ૮. જૈનશાસનની નિંદા થાય છે એ પ્રમાણે ‘લોકવિરુદ્ધ કાર્ય કરનારા હોવા છતાં સર્વજ્ઞના પુત્રો તરીકે પોતાને ગણાવીને લોકોને ઠગનારા જૈનોનું દર્શન નકામું છે, માટે તેની સામે ન જોવામાં જ કલ્યાણ છે. કારણ કે તેઓ સ્વપ્નમાં પણ સદાચારની ગંધે ય જાણતા નથી.” એ વગેરે આ લોકના પણ મોટા-મોટા દોષોનો સંભવ હોવાથી, ઉ૫૨ જણાવેલા દુરાચારવાળા હોય, તેનો સંસર્ગ-પરિચય-છોડી દેવો જ જોઈએ. ભાવાર્થ એ છે કે “વિવેકી પુરુષોએ સત્સંગ જ કરવો જોઈએ. ૐ એ ઉપરથી સમજવાનું એ છે, કે સાધુ અને ચૈત્યાદિના વેચાણ અને ચોરીમાંથી મળેલાં દ્રવ્ય વગેરેના ભોગે કરીને ગૃહસ્થો માટે તો ખુલ્લેખુલ્લો અનાચાર છે જ. 5. 6. [પ્રવચનનું=જૈન શાસનના મૂળભૂત-મુનિ અને ચૈત્ય છે, તેને ઉપદ્રવ કરવાથી.] [સાધુનું વેચાણ અને ચૈત્યાદિના પદાર્થોનું વેચાણ. સાધુની ચોરી, ચૈત્યાદિના પદાર્થની ચોરી, તે બેથી ઉત્પન્ન થયેલા દ્રવ્યાદિકના ભોગે કરીને,] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy