SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૯-૩૦] ૫. દોષદ્વાર – અન્યશાસ્ત્રોનાં પ્રમાણ વૃદ્ધિસમૃદ્ધિ કુળના નાશ માટે કુળના ઉચ્છેદ માટે થાય છે. ૧ - આ લોકનું તુચ્છ ફળ બતાવ્યું. અને તે દેવદ્રવ્યાદિકનો ખાનારો મહાપાપને લીધે મેલા મનવાળો હોવાથી, મરીને નરક=દુર્ગતિની પરંપરા પામે છે. ૨ - આ રીતે પરલોકમાં મળતું ફળ બતાવ્યું. - ૧ છે એ જ પુરાણમાં પણ મોટા દોષો બતાવ્યા છે. પ્રાણો કંઠમાં આવે તો પણ-એટલે કે મરણ આવી પડે તો પણ, દેવ-દ્રવ્ય લેવામાં બુદ્ધિ ન રાખવી. કેમ કે અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો નવપલ્લવિત થાય છે, પરંતુ દેવ-દ્રવ્યના ભક્ષણથી બળી ગયેલો નવપલ્લવિત થતો નથી.'૨. [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૪] પ્રભાસ્વ-દેવદ્રવ્ય અથવા “લોકમાં પ્રસિદ્ધ જનસમુદાયે એકઠું કરેલું સાધારણ દ્રવ્ય, કે જેને જાતીય દ્રવ્ય પણ કહેવામાં આવે છે.” અગ્નિ-દધુ=અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો પાણી સીંચવા વગેરેથી ઊગે છે=નવપલ્લવિત થાય છે. પરંતુ પ્રભાસ્વ એટલે દેવ-દ્રવ્ય વગેરેનો વિનાશ કરવાના ઉગ્ર પાપરૂપી અગ્નિથી બળેલો મનુષ્ય મૂળથી બળી ગયેલા ઝાડની પેઠે નવપલ્લવિત થતો નથી. 13 ભાવાર્થ એ છે, કે “પ્રાયઃ હમેશાં દુઃખી રહેવાથી ફરીથી નવપલ્લવિત થતો નથી. ૨ છે હવે, ઉપર કહેલા અને નહિ કહેલાં ખાસ મોટાં પાપો બતાવે છે પ્રભા-દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુરુ-પત્ની, અને દેવ-દ્રવ્ય, સ્વર્ગમાં હોય તેને પણ નીચે પાડે છે, એટલે કે દુર્ગતિમાં લઈ જાય છે. ૩.” (શ્રા.દિ.કૃ.ગા.-૧૩પ. 12. અહિં શ્રી રામચંદ્રજીને વખતે બનેલું કુતરીનું દૃષ્ટાંત સમજવું. 13. આ સ્થળે, શ્રી રામચંદ્રજીના વખતમાં ગાડા નીચે ચંપાઈ ગયેલા શુનિક બ્રાહ્મણનું દષ્ટાંત ઘટાવી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy