SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ S૯ ગાથા-૨૩-૨૪]. ૪. ગુણદ્વાર – લોકોત્તર સુફળ ૬૯ જે હવે લોકોત્તર' ઉત્તમ ફળ બતાવે છે - નિબ- વય-હિં સાં, vમાવાં બ-વંસન-પુi वड्डन्तो जिण-दव्वं तित्थ-यरत्तं लहइ जीवो ॥२३॥ નિન-પવન-દિકરં કમાવવાં પાન-વંતા-I रक्खंतो जिण-दव् परित्त-संसारिओ होइ ॥२४॥ શ્રા. દિ. કુ. – ગાથા – ૧૪૩-૧૪૪) (આ બે ગાથાઓ, પૂર્વાચાર્યોએ રચેલા શ્રી સંબોધપ્રકરણ વગેરે ઘણાં ગ્રંથોમાં જોવામાં આવે છે.) જૈન શાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન, અને દર્શન ગુણનો પ્રભાવ વધારનાર એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પામે છે.” “જૈન શાસનની ઉન્નતિ કરનાર, અને જ્ઞાન અને દર્શન ગુણનો પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યનું રક્ષણ કરનાર આત્માનો સંસાર ટૂંકો હોય છે.” ૨૩, ૨૪ “ નિવ” “નિન-પવન.” વ્યાખ્યા સરળ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - $ દેવ વગેરે દ્રવ્ય હોય, તો દરરોજ-શ્રી જિન પ્રતિમાજી મહારાજને આંગી વગેરેની રચના, મહાપૂજા, સત્કાર, સન્માન વગેરે અવલંબનભૂત પ્રવૃત્તિઓનો સંભવ હોવાથી ત્યાં મોટે ભાગે મુનિ મહારાજાનું આગમન થતું રહે છે, તેઓના ઉપદેશ વગેરે સાંભળવાથી જૈનશાસનની વૃદ્ધિ થાય છે, અને જ્ઞાનાદિકની પ્રભાવના થાય છે, તે જાણીતું જ છે. એટલા જ માટે દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનારને, અરિહંત ભગવાનના શાસનની ખૂબ ભક્તિ હોવાથી, પરંપરાએ તે જગતના જનોના ઉપકાર માટે થાય છે, તેથી અને અપ્રમત્તપણે ધર્મ અને શાસનના સારી રીતે આરાધક થવાથી સાગર શેઠની પેઠે સંસારનો ઉચ્છેદ કરવામાં સમર્થ તે ઉંચા પ્રકારના પુણ્યરૂપ તીર્થંકર પદની પ્રાપ્તિ પણ આ કામથી બહુ જ સરળતાથી કરે છે. 1. આ ભવનું, અને પરભવનું, એમ બન્ને પ્રકારનું લોકોત્તર ઉત્તમ ફળ હોય છે.] 2. (ગાથાઓના અર્થ કરેલા મુજબ જિન પ્રવચનના એટલે જૈન શાસન સંસ્થાના ગુણો અને કીર્તિ વધારનાર તીર્થંકર થાય છે, અને રક્ષણ કરનારનો સંસાર ટુંકો થાય છે.]. 3. [ઊંચામાં ઊંચી સીમા સુધી પહોંચેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy