________________
ગાથા-૯]
૨. વૃદ્ધિદ્વાર – વિશેષ ઉઘરાણીની કાળજી
૩
એટલા માટે, સાર-સંભાળ રાખનારાઓએ દેવ-દ્રવ્યાદિકની ઉઘરાણી પોતાના ધનની ઉઘરાણી માફક જરા પણ બેદરકારી રાખ્યા વિના-અભગ્ન ચિત્તથી કરવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે, અને વધારે વખત થઈ જાય, તેવામાં દુકાળ પડે (લડાઈ વગેરેથી) દેશની છિન્ન-ભિન્નતા થાય, દુઃખી અવસ્થા આવી પડવી, વગેરેનો સંભવ થવાથી, ગમે એટલી મહેનત કરવા છતાં પણ તે નાણાં પાછાં ન આવે. તેમ થવાથી (દેવદ્રવ્યાદિનો) વિનાશ કરવાનો મોટો દોષ લાગી જાય છે.
જેમ મહેન્દ્રપુરના શ્રાવકોમાં બન્યું હતું
“મહેન્દ્રપુર નગરમાં અરિહંત ભગવાનના દહેરાસરમાં ચંદન, નૈવેદ્ય, ફૂલ, ચોખા વગેરે માટે દેવ-દ્રવ્યની ઉઘરાણી ક૨વા શ્રી સંઘે સાર-સંભાળ કરનારા ચાર શ્રાવકોને નિયુક્ત કર્યા હતા. તેઓ સારી રીતે સાર-સંભાળ કરતા હતા. કેટલાક દિવસો બાદ ઉઘરાણી કરતી વખતે જેવાં તેવાં વચનો સાંભળવા વગેરેથી મનમાં દુઃખી થઈ (કંટાળી જઈ) મુખ્ય સાર-સંભાળ કરનાર પોતે જ કાળજી રાખવામાં ઢીલા થઈ ગયા હતા. તેથી બીજા પણ ઢીલા થઈ ગયા. કારણ કે
“પાછળના લોકો હંમેશાં મુખ્ય કામ કરનારને અનુસરનારા હોય છે.” તેવામાં અકસ્માત્ દેશની છિન્ન-ભિન્નતા વગેરે થવાથી દેવ-દ્રવ્ય ઘણું નાશ પામ્યું.
તે કારણે, બળ અને શક્તિ છતાં પ્રમાદથી તે છુપાવી રાખવાથી, પાપની પરંપરા ચાલવાથી તે (આગેવાન શ્રાવક) અસંખ્યાતા ભવો સુધી સંસારમાં ભમ્યા હતા.”
↑ આ રીતે
દેવાદિક માટે શ્રાવકાદિકથી મળવાનું દ્રવ્ય તરત જ ઉઘરાણી વગેરે કરીને ઉત્સાહપૂર્વક સુ-શ્રાવકોએ મેળવી લેવું જોઈએ. અને પોતાને પણ દેવાદિક દ્રવ્યનું કંઈ પણ દેવું હોય, તે જાતે પણ તરત જ આપી દેવામાં ક્ષણવાર પણ ઢીલ કરવી ન જોઈએ.
વિવેકી પુરુષોએ બીજાને દેવાનું હોય, તે દેવામાં પણ સર્વ પ્રકારે વિલંબ કરવાનો નથી, તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે દેવાની બાબતમાં તો પૂછવું જ શું ? (ઢીલ થાય જ કેમ ?)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org