________________
ઉત સાક્ષર જણાવે છે એટલે ઈ. સ. ૧૪૦૦-૧૫૦૦ સુમારે; તેથી અગાઉનું જૈન ગૂજરાતી સાહિત્ય હસ્તલેખોમાં મળી આવેલું જોવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં–બીજાનું ભરણું એક બાજુ રાખી કહીએ તો-શ્રી પ્રેમાનંદ શરૂ કરે તે પહેલાંના ઋષભદાસ નામના શ્રાવક કવિ એકલાએ લગભગ દશહજાર ગાથા ઉપરાંત કાવ્યસાહિત્ય રચ્યું છે, અને અઢારમા સૈકામાં તેને વિસ્તાર વિશેષ છે તે પછી તેને તનખા કહી શકાશે નહિ. ઓગણીશમા શતકમાં પણ જૈન કવિઓ ઓછા નથી થયા. તે માટે ઉકત સ્વર્ગસ્થ શ્રીયુત ગોવર્ધનરામ જણાવે છે કે “ચેથે ભાગ–જેન કવિઓ, બે ચારેક હરાડમા શતક પેઠે”-એ કથન ફેરવ્યા વગર છૂટકો નથી. મારું આ વકતવ્ય જૈન ગૂર્જર સાહિત્ય ગ્રંથને ઇતિહાસ લખાશે ત્યારે અને જેમ જેમ વધુ જૈન સાહિત્ય પ્રગટ થતું જશે તેમ તેમ યોગ્ય છે કે નહિ તે પ્રતીત થાય તેમ છે. ૩૬
- ૭૮. અત્યાર સુધી જૈન ગૂર્જર સાહિત્ય પ્રસિદ્ધિમાં નથી આવ્યું તેનું કારણ એ છે કે (૧) મોટે ભાગે અને પ્રાયઃ તેના સુષ્ટાઓ જૈન મુનિઓ હતા. તેઓ પિતાની કૃતિઓ તથા પિતાના પૂર્વકાલીનની કૃતિઓ ધર્મસ્થાનમાંજ-ઉપાશ્રયમાં જ રહી વાંચતા અને સંભળાવતા. જ્યારે બ્રાહ્મણ કવિઓ ગામના ચેરામાં કે બે ત્રણ શેરીઓ ભેગી થતી હોય તેવા ચોગાનમાં વાંચતાં યા માણુગોળાવાળા બની લોકને સંભળાવતાં. સરખા “વિપ્ર વ્યાસ ગાય ગુણ રાસ'– કુમારપાલ રાસ પૃ. ૧૩
૩૬ આ સને ૧૯૧૫માં લખાયું છે અને ત્યાર પછી તે અત્યાર સુધીમાં વધુ જૈન સાહિત્ય આનંદકાવ્ય મહેદધિના મિકિતકોદારા તેમજ બીજે સ્થલે પ્રગટ થયું છે. સંવત ૧૩મી સદીથી સત્તરમી સદીના જૈન ગૂર્જર કવિઓનું વિસ્તૃત સૂચિપત્ર જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લે–એ મારા સંગ્રહગ્રંથમાં બહાર પડયું છે તેમાં ૨૮૭ કવિઓની ૫૪૧ કૃતિને નિદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org