________________
નાત્મક ગ્રંથ નામે “કુમતિ કુંદાલ' થી ઘણે ખળભળાટ થયો હતો તેથી તેને જલશરણ કરવામાં આવ્યું હતું, અને તે ખળભળાટ અટકાવવા માટે બાર બાલ લખી તેને જુદાં જુદાં સ્થળોએ પળાવવા માટે મેકલાવી આપ્યા હતા તેનું વર્ણન છે.
- ૭૧ અષભદેવ અને મલ્લિનાથ એ જૈનના વર્તમાન ૨૪ તીર્થ. કરે પછી પહેલા અને ઓગણીશમાં તીર્થકર છે તેનાં ચરિત્ર છે. મહિનાથ રાસમાં તાતા ધર્મકથાગમાંથી તેનો સંબંધ લીધો છે. શ્રેણિક એ મહાવીરના સમયમાં મગધને રાજ હતું કે જેનું બિબિસાર એ નામ હૈદ્ધ ગ્રંથમાં જોવાય છે. અભયકુમાર એ તેને કુમાર અને મંત્રી હત; તેમનાં ચરિત્ર તે તે રાસમાં આપ્યાં છે. સ્થૂલિભદ્ર એ નવમાં નંદના શકીલ મંત્રીને પુત્ર હતું. અજાપુત્ર, કઈવના, વીરસેન, સુમિત્ર રાજ જૈન કથાસાહિત્યમાં દાચ્છતિક પુરૂષ છે. આદ્રકુમાર એ ઉક્ત અભયકુમારથી પ્રતિબંધિત અનાર્ય રાજાને પુત્ર હતો. આમ ચરિત્ર કાવ્યમાં નિરૂપણ કરી “વાર્તાના ચમત્કારના ભગી છેતાઓની રૂચિને પોષતું સાહિત્ય કવિએ પૂરું પાડયું છે.
૭૨. તે સિવાય વિધિ, ઉપદેશ, બેધ સંબધે સંસ્કૃત અને માગધી ગ્રંથ નામે શ્રાદ્ધવિધિ ( રતનશેખર સૂરિ કૃત, વિરચિત સં. ૧૫૦૬), અને ઉપદેશમાલા કે જેના રચનાર તરીકે મહાવીર હસ્ત દીક્ષિત શિષ્ય ધર્મદાસ ગણિ કહેવાય છે, તે પરથી સ્વતંત્ર અનુવાદ રૂપે શ્રાદ્ધવિધિ અને ઉપદેશમાલા રાસ કવિએ રચ્યા લાગે છે. શાહવિધિમાં શ્રાદ્ધ--શ્રાવકનાં સંપૂર્ણ આચાર આળખેલા છે અને ઉપદેશમાલામાં સાધુના આચાર–ચરિત્રપાઠો મુકેલા છે. તે સિવાય સમ્યગ્દષ્ટિ (બાધિ—પ્રજ્ઞા) શું છે, એ સમજાવવા સમકતસર રાસ રચે છે અને જગતમાં જીવ અને અજીવ એ બે તો પરથી પાપ, પુણ્ય આસ્રવ કર્મધારો. સંવર, કર્મનિષેધ, નિર્જરા કર્મને અંશતઃ ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org