________________
તેમાંની ઐતિહાસિક કૃતિઓ પણ-જેવી કે કુમારપાલ અને હીરવિજયસૂરિ પરના રાસે છે–તે જૈન સંપ્રદાયની ઐતિહાસિક વ્યક્તિઓ સંબંધી છે અને એ જ રીતે સર્વ જૈન કવિઓએ પ્રાય: કર્યું છે.
૬૭. આના ઉત્તરમાં કહેવાનું કે ઉપરોક્ત વાત મુખ્યત્વે કરી સત્ય છે અને એજ વાત જૈનેતર પ્રાચીન કવિઓને પણ લાગુ પડે છે. દલપત અને નર્મદ અર્વાચીન યુગમાં થયા પણ તે પહેલાં જોઇશું તે જૈનેતર કવિએ પણ પોતાના સંપ્રદાયને લગતું જ કાવ્યસાહિત્ય રચ્યું છે. ટુંકામાં અર્વાચીન યુગ પહેલાનું કાવ્યસાહિત્ય જૈનેતર કે જૈનસાંપ્રદાયિક જ હતું ૩૪ તેથી તે સાહિત્ય સમજવાને-અભ્યાસવા માટે જૈનેતર અને જેમના ધાર્મિક સાહિત્ય-કથા વગેરેને અભ્યાસ કર્તવ્ય છે.
- ૧૪ કેટલાંક કાવ્યાનું વસ્તુ ૬૮. (૧) કુમારપાલ રાસ તે જિનમંડનગણિના કુમારપાળ
૩૪ સરખા-પ્રસ્થાન માસિકના તાજા પ્રગટ થયેલા વૈશાખ સં. ૧૮૮૩ના અંકમાં કવિશ્રી નન્હાનાલાલને આધુનિક કાવ્ય સાહિત્યમાં ફાળે” એ નામના રા. અભિજિતે લખેલા લેખની પહેલી પંકિતઓ:
આપણું સાહિત્યને અર્વાચીન યુગ દલપત નર્મદથી શરૂ થતો સાધારણ રીતે માનવામાં આવે છે. આ માન્યતા અનેક દૃષ્ટિબિન્દુએ છે કે નર્મદ દલપત પૂર્વે જે કાવ્ય લખાતાં તે બધામાં મુખ્યત્વે કરીને સામ્પ્રદાયિક તત્ત્વ વિશેષ હતું, અને આથી તે કાળે સમજવાને માટે તે તે સમ્પ્રદાયના થોડા ઘણું જ્ઞાનની ભૂમિકાની આવશ્યક્તા રહેતી. આ વસ્તુસ્થિતિમાં દલપત નર્મદના આગમનથી ફેર પડે, કાવ્ય સામ્પ્રદાયિક ચીલામાંથી નીકળી જઈ વધારે વિશાળ સૃષ્ટિમાં વિહરવા માંડયું અને પરિણામે જીવનની પ્રવૃત્તિઓ જેમ અનેકવિધ છે, તેમ કાવ્યની ગતિ પણ અનેક ક્ષેત્રમાં થવા લાગી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org