SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. જનશ્રુતિ. સરસ્વતિની પ્રસંશાતા. ૫૪. એવું કહેવાય છે કે કવિએ વિજયસેન સરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા શરૂ રાખ્યું હતું. એક રાત્રે ગુરૂએ પોતાના શિષ્ય સારૂ સરસ્વતિ દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યું હતું, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાંજ સુઈ રહેલા અષભદાસના જાણવામાં આવતાં તેણે પિતે જ આરોગી લીધે અને તે મહાન વિદાન થશે. આના પરિણામે ઉપર જણાવેલી સંખ્યાબંધ કૃતિઓ તે રચી શકે. આવી દંતકથા છે (આનંદ કાવ્ય મહોદધિ મૌતિક ૩ પ્રસ્તાવના પૃ. ૨૬ પછીનું પહેલું-બીજું પુષ્ટ) ૫૫, આ દંતકથામાં કેટલું સત્ય છે તે કહી શકાતું નથી, છતાં આટલુ તે સત્ય છે કે દરેક કૃતિમાં કવિ સરસ્વતિ દેવીની સ્તુતિ કરવા ઉપરાંત તેને પાડ, પ્રભાવ સ્વીકારે છે. સરસ્વતી દેવીનું મંગલાચરણ દરેકમાં કરી તેની સહાયતા માંગે છે. એક સ્થળે નમ્રતાથી જણાવ્યું “ સમરું સરસતી ભગવતી, સમર્યા કરજે સાર, મૂરિખ મતિ કેલવું, તે તારો આધાર પિંગલ ભેદ ન લખું, વ્યક્તિ નહીં વ્યાકર્ણ, મૂરિખ મંડણ માનવી, હું એવું તુઝ ચરણ -વ્રતવિચાર રાસ અને કુમારપાલ રાસ. સાર વચન છે સરસ્વતી, તું છે બહાસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મલ થાય. તું ભગવતી તું ભારતી, તારાં નામ અનેક, હંસગામિની શારદા, તુજમાં ઘણો વિવેક. બ્રહ્માણી બ્રહ્મચારિણી, દેવકુમારી નામ, ષ દર્શનમાં તું સહી, સહુ બોલે ગુણગ્રામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy