________________
૫૯
૪૮. તેમની પછી ૧૮ વિજયાણંદ સરિ થયા, અને તેમને કવિએ ગુરૂ તરીકે અંગીકાર કર્યો.
તેહને પાર્ગે વળી પ્રગટીએ રે, કલ્પતરૂને કંદ, વિજયાનંદ સુરીશ્વરરે, દીઠ અતિરે આનંદ. જેહની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણ સત્તાવીશ સાધુનારે, સત્તર ભેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હુએ તપગચ્છને રે નાથ, રાષભ તણે ગુરૂ તે સહીરે, તેહને મસ્તકે હાય.
–ભરતેશ્વર રાસ સં. ૧૬૭૮. ૧૮ વિજયાણંદ સરિમરૂ દેશના રેહ ગામમાં પ્રાગવંશી પિતા શ્રીવંત, અને માતા લાલબાઈ–શૃંગારદેથી સં. ૧૬૪ માં જન્મ, મૂલનામ કલ, હીરવિજયસૂરિ પાસે દીક સં. ૧૬૫૧, દીક્ષાનામ કમલવિજય, વિજયતિલક રિએ શિરોહીમાં સરિ પદ આપ્યું. સ્વર્ગવાસ સં. ૧૭૧૧ આષાઢ શુદિ પૂર્ણિમા ખંભાતમાં. વિજયાણંદસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકા ગુરૂ થતા હતા પોતે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે વિજયદેવસરે મળવા માટે અમદાવાદ આવ્યા. અરસ્પર પ્રીતિથી બંનેની સંમતિ પૂર્વક ગચ્છાધિપત્ય ત્રણ વર્ષ ચાલ્યું. ભાવી વેગે ચોથા વર્ષથી વિજયદેવ સૂરિએ પિતાના નામનો પટ્ટો મુનિઓ માટે લખે; આ સાંભળી આણંદ સરિએ પણ પિતાના નામનો પદો લખ્યો. આ કારણથી એકજ કુળમાં બે આચાર્યોના નામથી બે ગચ૭ થયા એકનું નામ દેવસરિગછ અને બીજાનું નામ આણંદસરિગ૭. સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થઈ. (આ માટે જુઓ મારો ગ્રંથ નામે જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ લું. ઘ૦ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org