________________
Aષભ કહે નર તે ભલારે, રાખે પિતાનું નામ, શ્રી આદીશ્વર કુલ જુઓરે, ભરત વધારે મામ. વસુદેવ કુલે કૃષ્ણજીરે, દશરથકુલે શ્રી રામ, નૃપ પાંડુકુલે પાંડવારે, જિણે ક્યું ઉત્તમ કામ. ઈણ દૃષ્ટાંતે જાણજોરે, તે ચેલે જગસાર, નિજ ગુરૂ નામ વધારરે, સંભારે તે વારંવાર વીરવચન આજુઆતે રે, ગોતમ બ્રાહ્મણ જાત, તે તેના ગુણ વિતર્યારે, નામ જપેરે પ્રભાત. હીર વચન દીપાવતેરે, યસિંહ પુરૂષ ગંભીર, જિણે ગ૭ સંધ વધારિયે, ગયે ન જારે હીર. બિંબપ્રતિષ્ઠા બહુ થઇરે, બહુ ભરાયારે બિંબ, શ્રી જિનભુવન મોટાં થયાંરે, ગ૭ વાળે બહુ લંબ.
૪૬. વિજયસેન સરિએ અનેક જિનમંદિર બંધાવી તેમાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી છે તે હાલના મોજદ શિલા લેખે પરથી માલુમ પડે છે. આની પછી કવિ કહે છે કે વિજયતિલક સરિ પાટે આવ્યા (તે જયસિંહ ગુરૂ માહરે, વિજયતિલક તસ પાટ),
જ્યારે તપગચ્છનો પટ્ટાવલીમાં વિજયદેવ સૂરિ આવ્યા એમ જણાવ્યું છે. તે તે બંને ખરૂં છે, એટલે વિજયસેન સરિની પાટે બે આચાર્યો થયા (૧) વિજયદેવ સૂરિ, (૨) વિજયતિલકસૂરિ; અને તે આ પ્રમાણે –
૪૭. “વાચકશિમણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે
૧૬. વિજયદેવસરિ–જન્મ ઈડરમાં સં. ૧૬૩૪, દીક્ષા વિજયસેન સરિ પાસે સં. ૧૬૪૩, પંન્યાસ પદ સં. ૧૬પપ સૂરિપદ સં. ૧૬૫૬. તેમણે ઇડરના રાજા કલ્યાણમલ્લને પ્રતિબો હતો, અને જહાંગીર બહાદશાહે તેને “મહાતપા” એ બિરૂદ આપ્યું હતું, સ્વર્ગવાસ ઉના નગરમાં સં. ૧૭૧૩ ના આષાઢ શુદિ ૧૧ ને દીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org