________________
ટુંકમાં એજ આપે છે કે સાંગણ સુત વિક્રમ. શ્વક આ પ્રમાણે છે. तदुःखार्द्र प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्य पादं सुपदर चिताम्मेघदताद गृहीत्वा । श्रीमन्नेमेश्वरितविशदं सांगणस्यांगजन्मा चक्रे काव्यं बुधजनमनःप्रीतये विक्रमाख्य ।।
– કવિવર કાલિદાસના નિર્માણ કરેલા અને સુંદર પદેથી રચેલા મેઘદૂત કાવ્યના ચેથા ચોથા ચરણોને લઈને સાંગણના પુત્ર વિકમ કવિએ બુદ્ધિમાનના ચિત્ત પ્રસન્ન કરવા અર્થે આ શ્રી નેમિનાથનું નિર્મલ ચરિત્ર રચ્યું કે જે રાજીમતિના દુઃખથી આÁ છે.
–નેમિચરિતમ પૃ. ૫૮-૫૯ કર આમાં સંવત્ વર્ષ નથી આપેલ તેથી ચેકસ કહી કાતું નથી, છતાં સાંગણ સુત વિક્રમ એવી ઓળખાણ પરથી તે બાવક હોવાનું માલુમ પડે છે, તદુપરાંત ઋષભદાસ કવિ પોતે સંસ્કૃત ભ ષાના નિપુણ જાણકાર હતા એ એમણે પોતાની ગુજરાતી કૃતિઓ માટે વસ્તુઓ સંસ્કૃત કાવ્ય પરથી તેમજ સંસ્કૃત ગદ્ય પરથી લીધેલ છે તેથી પ્રતિત થાય છે, તેમજ તેને બંધવ હતું એ પણ ઉપર કહેવાઈ ગયું તેમજ બનેના પિતાનું નામ સાંગણ છે તેથી તેમજ ઋષભદાસે પણ નેમિનાય સંબંધે ગુજરાતીમાં “નવરસે’ બનાવેલ છે તે પરથી સબલ અનુમાન કોઈ કરે કે ઋષભદાસ અને વિક્રમ બને સગાભાઈઓ હતા. વિક્રમ એ નામપર બે કૃતિઓ નામે નેમિનાથચરિત્ર તથા નેમિદૂત જૈન ગ્રંથાવલિના પૃ. ૨૪૩ અને ૩૩૧ પૃષ્ઠ પર માલુમ પડે છે તે તે બંને કૃતિઓ એક હોઈ શકે, કારણ કે ઉપરક્ત પુસ્તક નેમિદૂતને બદલે નેમિચરિત્ર એ નામથી પ્રગટ જેવું છે, વળી (મંત્રી) વિક્રમકૃત “મેઘદૂત' નામની કૃતિ પણ તેજ પ્રકાશક-શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય-હીરાબાગ મુંબઈ મૂલ્ય કા આના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org