SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી કરતા અને મુનિઓના રાગી હોઈ તેમના વ્યાખ્યાન–ઉપદેશ પ્રેમથી શ્રવણ કરતા. ન્યાયી લોકપ્રિય જહાંગીર બાદશાહ (સને ૧૬૦૫ થી સને ૧૬૨૭) ને શાંત અમલ હતો તેથી રૈયત ઘણી સુખી હતી, વસ્તુની સંઘારત સારી હતી અને વેપાર ધીકતે હાઈ ખંભાત “દિન દિન ચઢતો વાસ–આબાદ થતું જતું હતું. ૧૭. ખંભાતની જે સાત ચીજ વખણતી તે જણાવી છે કે વહેલ વરઘોડે વીંજણે, મંદીર જલિ ભાત, ભોજન દાલ ને ચૂડલો એ સાતે ખંભાત. ૧૮. આ નગરનાં ખંભનગર, ત્રંબાવતી, ભેખાવતી, લીલા વતી, કર્ણાવતી –એ જુદાં જુદાં નામ છે તે વાત પણ ઐતિહાસિક બિનામાં વધારે કરે છે. આપણે ત્રંબાવતી નગરી અને તેમાંના માણેકચેક વિષે ી લોકવાર્તાઓ ઘણી સાંભળી છે તે તે જનસ્થાનું વર્ણન કદાચ આ ખંભાત નગરની અપેક્ષા એ હાય. સંવત્ સત્તરમા સૈકાના ખંભાતને ખ્યાલ કવિવર્ણનથી સારી રીતે પ્રાપ્ત થયો. ૪. કવિના સમર્થનમાં ખંભાતના અન્ય વર્ણન. ૧૮. આ વર્ણનના સમર્થનમાં બીજા ઇતિહાસમાંથી ખંભાતની આ સમયની સ્થિતિ પર જે જણાવેલ છે તે અત્ર નેંધવું અસ્થાને નહિ થાય. ૨૦. કરખાન નામને હકીમ અકબર બાદશાહની દવા કરતે હતું તેને જહાંગીરે અમીર બનાવ્યો હતે. આ ઈસમ ઈ. સ. ૧૬૦૮ (સંવત્ ૧૬૬૪) થી સુરત અથવા ખંભાતની હાકેમી કરતે હતા. ઇ. સ. ૧૬૧૬ (સંવત્ ૧૬૭૦) માં બાદશાહે તેને ગુજરાતને સુબેદાર ની અને મમ્મદ સફીને તેને દિવાન નિમે. બીજે વર્ષે (૧૬૧૭) જહાંગીર બાદશાહ દોહદના જંગલમાં હાથીને શિકાર કરવા ગુજરાત Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy