________________
ધર્મની ક્રિયાઓ પાળીને પણ પારકા ધર્મવાળા તરફ માનની લાગણીથી જઈ શકે છે.
૧૦. “ અકબરને અમલ ઘણોજ સુલેહભરેલું હતું, તેનું મુખ્ય કારણ એ હતું કે તેણે બળ અને કળથી પિતાની હિંદુ પ્રજાનાં મન મેળવી લીધાં હતાં. દેશી સંસ્થાને સાથે લગ્ન સંબંધ વધારી તેમની વિદ્યા અને તેમના ધર્મ પ્રત્યે પ્રેમભાવના બતાવી, તેમના પર પૂર્ણ ભરૂસો રાખી, તેમને મોટા મોટા દ્ધાએ આપી તેમને અતિ ઉપયોગી પ્રેમ સંપાદન કરી, તેમને રાજ્યમાં મદદગાર કરી લીધા હતા. જહાંગીરે રાજ્યાભિષેક થયા પછી પિતાના પિતાના પગલે જ ચાલવાને નિશ્ચય કર્યો હતો. મરણપર્યત તે નિશ્ચય તેણે પાળે પણ ખરે.
૧૧. “ જહાંગીરને નાનપણથી વિદ્યા તરફ ઘણે પ્રેમ હતો. જહાંગીરના સમયમાં જાદરૂ૫ (વિજ્યદેવસૂરિ) નામે એક વિદ્વાન જતી ઉજ્જન પાસે આવેલી એક ઉજજડ પહાડની ગુફામાં રહેતો હતો. અહિંઆ ત્રણ માઈલ સુધી સ્વારી જઈ શકે તેવું સ્થાન નહેતું, છતાં પણ જહાંગીર વારંવાર પગે ચાલી તેની પાસે જતો અને તેની સાથે વાદવિવાદ કરવામાં પિતાનો અમૂલ્ય વખત ગુજારતે. તે જ્યારે જાદરૂપનું વર્ણન કરે છે ત્યારે તેના શબ્દો બતાવી આપે છે કે તે જાદરૂપ પ્રત્યે શુદ્ધ અંતઃકરણને ભાવ રાખત. છ છ કલાક સુધી તેની સોબતમાં જહાંગીર રહ્યા છે.
જહાંગીરને અદલ ન્યાય, તેને પ્રજા તરફનો પ્રેમ અને તેમને કલ્યાણથે લેવામાં આવતા ઉપાયમાં મહાન અકબર સિવાય કોઈપણ રાજા તેની બરોબરી કરી શકે તેમ નથી.”
–જહાંગીર અને તુઝક જહાંગીર
વિસંત–શ્રાવણ ૧૦૬ ] ૧૨. ટુંકમાં અકબર બાદશાહના વખતમાં ગુજરાત સર્વતઃ છતાયું, અને શાંતિ ફેલાઈને જહાંગીરના વખતમાં લગભ જામી ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org