________________
૩૩
પોતે શ્રાવક હતા એમ જણાવે છે. તે સૂરિ સં. ૧૬૭૬ માં આચાર્ય પદ પામ્યા પછી સં. ૧૭૧૧ માં ખંભાતમાંજ સ્વર્ગસ્થ થયા.
૭. આ કવિ સં. ૧૭૦૦ સુધી વિધમાન રહ્યા એમ ગણીએ તે તેમનું આયુષ્ય લગભગ ૬૦ વર્ષ પ્રાયઃ ગણાય. તેમને કવનકાળ તો સં. ૧૬૬૬ થી ૧૬૮૮ સુધીના ૨૨ વર્ષને નિશ્ચિત જ છે. કવિના આયુષ્યકાળ દરમ્યાન જ કવિવર સમયસુંદરનો કવન–કાળ છે અને તત્કાલીન સ્થિતિ શું હતી તે સંબંધી ઉકત “કવિવર સમયસુંદર ” સં. બંધીના મારા નિબંધમાં જોઈ શકાશે. (જૈન સાહિત્ય-સંશોધક ખંડ ૨ અંક ૩-૪, તથા આનંદકાવ્ય મહેદધિ મીતિક ૭ મું પ્રસ્તાવના) મુખ્યત્વે કરી ઋષભદાસ પિતાની કૃતિઓમાં જહાંગીર (ખુરમ) પાતશાહને ઉલ્લેખ કરે છે. તેના સમયની સ્થિતિ તપાસીશું.
૨. જહાંગીર બાદશાહના રાજ્યની શાંતિ.
૮. દિલ્હીપતિ જહાંગીર બાદશાહ (રાજ્યકાળ ઈ. સ. ૧૬૦૫થી ઇ. સ. ૧ ૨૭) ના રાજ્યની સીમાં આગ્રાથી પંજાબ અને કાશ્મીર સુધી અને માળવાથી ગૂજરાત સુધીની હતી.
૮, “અકબર અને જહાંગીરની રાજકીય નીતિ ઘણાક વિષમાં મળતી આવે છે. હિંદુ અને મુસલમાન બંનેને સરખા હક આપવામાં, બંને ઉપર એકજ સરખી રાજનીતિ ચલાવવામાં બંને એક સરખા મત ધરાવતા હતા, પરંતુ અકબરનું એવું ધારવું હતું કે, હિંદુ, મુસલમાન બંનેને એકજ પંક્તિ પર મુકવા માટે, તેમના ધર્મને ઉત્તેજન આપવા અર્થે, માણસે પિતાને ધાર્મિક જુર અને ધાર્મિક લાગણી ને સમાવી દેવી જોઈએ અને ધાર્મિક ભાવનાથી ખીલતા આત્મિક રંગને આછા કરી નાંખો જોઈએ. અકબરને દરેક ધમ ઉપર આસ્થા હતી, જ્યારે જહાંગીર એમ સમજતા હતા કે કોઈ પણ માણસ પિતાના ધર્મમાં રહીને, તેમાં પૂર્ણ માન્યતા રાખીને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org