________________
એવા પક્ષવાદ સામે જ હારી દલીલ છે. વળી દેશદષ્ટિની પ્રવૃત્તિને સાચે આશય એક જ ઘટે. સાહિત્યના નવા સર્જનને એવા દેથી બનતાં સુધી મુકત રાખવાને. દેશને વિશે દોષતપ્રતાતિ ના થાય, દેશને વિશે પણ ગુણવપ્રતીતિ થાય, તે એવા અસમંજસ વાતાવરણમાં ઉદ્દભવતી નવી સાહિત્યસૃષ્ટિ પણ એવા દેથી કલંક્તિ જ બન્યા કરે. નવા થવાના જૈન સાહિત્યને, નવા થવાના જૈનેતર સાહિત્યના જેટલું જ, દેષíકાથી જેમ બને તેમ વિમુકત સ્ત્રજવું ઘટે, એ વાત તે સૈ સ્વીકારે. પરંતુ નવું સાહિત્ય-જૈન કે જૈનેતર–આ નિબંધની વિચારણામાં પ્રસ્તુત વિષય છે જ નહીં. આપણે વિચારણા જુના, અને મોટે ભાગે કાંતે અપ્રકટ કર્તા પ્રકટ તથાપિ અજ્ઞાત જેવા સાહિત્યને માટે જ છે. આવા સાહિત્યને અજ્ઞાતમાંથી જાણીતું અને હસ્તલિખિત પતિઓ રૂપ જ છે તેને મુદ્રાંતિ બનાવવું એજ આપણે વિષય છે. અને આમાં જૈન જૈનેતરને ભેદ છેક અસ્થાને છે. જૂના જૈનેતર સાહિત્યના રક્ષણ સંશોધન પ્રકાશન અને ગુણાનુરાગ ગુજરાતી ભાષાપંડિતેને જેટલા પ્રિય છે, તેટલાં જ પ્રિય તે ભાષાપંડિતોને જૂના જૈન સાહિત્યના રક્ષણ સંશોધન પ્રકાશન અને ગુણાનુરામ પણ થવાં જોઈએ. જૈન વામયની સાહિત્ય દ્રષ્ટિએ ઉત્તમ કૃતિઓ ભલે ઓછી હેય; જે ઉત્તમ કૃતિઓ હેય તે ગુણવત્તામાં બ્રાહ્મણ વાલ્મયની ઉત્તમ કૃતિઓથી ભલે ઊતરતી હેય. ગુજરાતી ભાષા અને સાહિત્યનો ક્રમિક ઐતિહાસિક વિકાસ સમઝવામાં ઊંચી ઊતરતી જેટલી હોય તેટલી સર્વે જૂની કૃતિઓ કીંમતી છે. જે છે તે એ. માણસ નવાં માબાપ પેદા કરી શક્તા નથી, તેમ પાછલા સમયનું વાત્મય નષ્ટ થયું કે તેની જગા બીજા કશાથી પૂરી જ શકતા નથી જે છે તે એ. અને અત્યાર લગી ચાલી રહ્યું છે તેવું દુર્લક્ષ હજી પણ બીજા બેત્રણ દાનક ચાલ્યા કરશે, તે ઇ. સ. ૧૮૦–૧૦ લગી જેટલું હતું તેટલું ૧૮૮૦–૧૮૦૦ લગી રહ્યું નહીં, અને ૧૦૦૦ થી ૧૮૨૫ ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org