SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઊતારી નથી; આ રાસમાંની જ એ આઠે પંકિત છે? જુવો ખંડ ૨ જે, પૃ. ૧૩૧. આ રાસને આરંભથી માંડીને સિદ્ધરાજનું મૃત્યુ થતાં કુમારપાળ આવીને ગાદીએ બેસે છે ત્યાં લગીને ભાગ સુષ્ટિ છે. કુમારપાળને પ્રવાસવર્ણન અને ઠેકાણે ઠેકાણેના એના અનુભવોના વર્ણનથી કૃતિમાં એટલે સુધી પૂરતા વૈવિધ્ય વાળી એકતા આવે છે. એમાં પણ જૈન શ્રેતાઓને ચે એવો બોધ જ પ્રધાન છે, પરંતુ પછીના ભાગમાં તો એ બધ જૈનેતર વાંચનારને જરા કંટાળો આવે એ થઈ જાય છે. વળી અસમ્મવિત ચમત્કારો (miracles) ઠેકાણે ઠેકાણે આવે છે તે અર્વાચીન વાંચનારે કર્તાના સમયના અભણ લોકના જ નહીં અભણ વિદ્વાન તમામ પ્રજાના માનસચિત્ર લેખે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી ગણવાના છે. આજે આપણે સુશિક્ષિત વર્ગમાં બે ચમત્કાર વિશે આપણું માનસ એક જ ધોરણે વર્તતું છે નહીં. કૃષ્ણચરિત્રમાંના ચમત્કારે આપણે કરારે ગળિયે છિયે, દશમસ્કંધ કે સુદામાચરિત્ર જેવાં કાવ્યોમાં આપણને એવા ચમત્કારાના વર્ણનમાં અસંભવદેષ અને તેથી કાવ્યવહાનિ નથી લાગતાં ત્યારે જૈન પ્રબંધ કે રાસમાં તેમનાથનું લિંગ ફાટે, તેમાંથી નીકળી શંકર પિતે કહે કે “સાચે ધર્મ શ્રી હમાચાર્ય જે કહે તે” અને કુમારપાલ રાજાને સંશય આ પ્રમાણે ટળે છે, એવું વર્ણન આપણે સહી શકતા નથી. આ વિશે જે એ પક્ષવાદ કરવામાં આવે કે નેતર કાવ્યમાં આવાં વર્ણન અસંભવિત પણ એક વાર તે સંભવિત લાગી જાય એવી ખૂબીથી થયાં હોય છે, તે એ બચાવ પણ લૂલે છે. કેમકે દશમસ્કંધ જેવા ઉત્તમ કાવ્યમાં પણ એકથી વધુ સ્થળે જરાયે ખૂબી હેતી નથી, અસંભવ નર્યા અને નાગા અસંભવ રૂપે જ થાયેલો હોય છે, એ નિર્વિવાદ છે. કલાશાસ્ત્રમાં આ જ ખરું છે, કે કૂબડું પણ પરિચયથી સહ્ય બને છે, અને ગમે તેવા પટુકરણને પણ સુપરિચિત થઈ ગયેલું કૂબડું–ગંદા બાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy