SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જરાતરા ફેરફાર સાથે ઊતર્યા જાય. અને વર્ણમાં ઉપમાઓ અને રૂપકથી માંડીને જ્ઞાનનાં સૂત્રે કહેવત અને ઉખાણું, રસનાં ટ૫ , હાસ્યના ટુચકા, ચાતુર્યના નમૂના, સૂત્રશૈલીમાં સમાવેલાં સરવૈયાં, લોકપ્રિય કથાનકો ચમત્કૃતિઓ અને તાજબીએ, પટ અને ગુંથણીમાં ફેરફાર સાથે, પરંતુ તત્વદૃષ્ટિએ જોતાં એ ને એ મા અને એ ને એ બાપની સંતતિ, સૈકાઓ સુધી [સાહિત્યવાડીમાં ઊગે અને કરમાય અને પાછાં ઊગે. સૈકાઓ લગી: જ્યાં સુધી પ્રજાનું આખું યે માનસ ફરી ન જાય ત્યાંસુધી. તથાપિ જ્યાં વિચારમાલા કે દૃષ્ટિ ઉપરાંત શબ્દરચના અને દૃષ્ટાંત લગભગ એક ને એક બે કવિઓમાં એક આખા બંધમાં અથવા તે બંધના એક આખા અંશમાં જોવામાં આવે, ત્યાં સંભવે છે કે પાછલા કવિએ આગલાનું જ પિતાનું કરી લીધેલું. ઋષભદાસનું કેટલુંક જેમ આગલા કવિઓની કૃતિઓમાંથી અને આગલાં સુભાષિત પદે આદિના અનુવાદ જ છે, તેમ રાષભ પછીના આપણું કવિઓમાં કેટલુંક ઋષભનું જ એમણે લીધેલું છે. અને ઋષભ તે આપણે જોયું તેમ પિતાની પ્રતિજ્ઞામાં સ્પષ્ટ સ્વીકારે છે કે હા, મેં તેમ કર્યું છે; એ મહારું એક કર્તવ્ય જ હતું. સામળ પણ એ સ્વીકાર કરે છે. છાપખાનાં થતાં, પુસ્તકે સુલભ થતાં, અને નિરક્ષર છેતા વર્ગને સ્થાને વાંચનાર વર્ગ આવતાં, આપણ નવા યુ* “કવયિતા સહુતણે પરતાપ.” “સેવક સહુ ક્વયિતા તણે.” –નંદ બત્રીસી. “કવિ કીધા લક્ષકોટિધા, મયા કરો માગું મતી ” –રાવણ મંદોદરી સંવાદ. દાસ સો કવિજન તો.” –વેતાલ પચીશી. “સંસ્કૃત માહિથી સેધિયું પ્રાકૃત કેરું પુરાણ.” “સામળભટ્ટ કવિએ કરે, વેદ પુરાણે છાપ.”(અથવા–“પ્રાકૃત કીધું પૂર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy