________________
સજન વિના સરસ્વતી ઊગતી નથી, અને એવી અનુકૂળતાએ એ યુગએ આ અતિન્હાના વર્ગોને જ પૂરતા પ્રમાણમાં હતી. તથાપિ
ભદાસ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કવિ બનનાર વિરલ વ્યક્તિઓમાંના એક છે, અને એવા જૈન કવિઓમાં એમનું સ્થાન ઘણું ઊંચું નવડશે એમ સંભવે છે.
ભદાસે આવી ઉચ્ચ પદવી મેળવી તેનાં કારણ-મારા અધીન મતે-બે દેખાય છે. એક તો એ ગર્ભશ્રીમંત હતા, એ કારણે એમના પિતામહ વિસનગરના વીશા પોરવાડ મહારાજે સંધ કહીને સંધવી * પદ પ્રાપ્ત કર્યું હતું. આ મહીદાસના પુત્ર સાંગણ 1 (સંભવે છે કે, વધારે બહોળા અને જલ્દી દૂઝતા વહેપારને અર્થે વિસનગર છોડીને ખંભાત બંદર આવી વસ્યા. ત્યાં એમને વેપાર સારી પેઠે ફ જણાય છે. અને એમણે પણ સંધ કહાડ હતું. ઋષભદાસ આ રીતે પિતાના વતન બનેલા ખંબાત બંદરને ઉમંગે વખાણે છે, અને એમનું એ વર્ણન કવિસુલભ અતિશક્તિ વિનાનું તેમ અકબર અને જહાંગીરના સમયના ખંભાતના વણિકોને સારે ચિતાર આપતું હોઈ ઉપયોગી જણાય છે, એટલે કવિના હિતશિક્ષા રાસમાંથી એ પંક્તિઓ ટાકું છું –
ગુજર દેશમાં નગર જ બહુ, હાર ખંભાત આગલે સહુ. ૨ વસે લોક વારુ ધનવંત, પહેરે પટેળાં નર ગુણવંત; કનકતણું કંદેરા જડા, ત્રણ આંગુલ તે પહેલા ઘડ્યા. ૪ હીરત કરો તલે, કનક્ત માંદલિયાં મલે; બાંધી ખલખલતી હાથે ખરી, સેવન સાંલી ગલે ઉતરી. ૫
સંઘષા-સંઘવીઃ જાતિ-જય ગઢવીઃ Rાનપતિ- વ-રાજવીઃ ઇત્યાદિ.
* વૃષભદાસ પિતાનાં માતાનું નામ સરૂપા દે જણાવે છે (ભરતબાહુબલિ રાસ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org