________________
પંથના વિદ્યાવ્યાસંગી અને ભાષાભક્ત સાહિત્યરત અભ્યાસીઓ માંડી બેસશે, એવી આશા બંધાય છે. તથા બંને ફટામની કૃતિઓ વધારે સંખ્યામાં તેમ વધારે શાસ્ત્રીયતાથી સંશોધાઈને પ્રકાશમાં આવતી જાય છે, એટલે આવા સર્વદેશી સમદશી તુલનાત્મક ઐતિહાસિક અભ્યાસનાં સાધતે પણ ગુજરાતમાં વધતાં જાય છે, એ વિદ્વાનોને આનંદ વિષય છે.
૨. શ્રી કુમારપાલ રાજાને રાસ, જૈન વાડ્મય પ્રવાહમાંની આ મારપાલ રાજાનો રાસ એક આવી આકર્ષક ગૂજરાતી પદ્યબદ્ધ કૃતિ છે. એ વિશે કર્તા પોતે કરે છે –
પૂઈ જે મહાપંડિત હવે, સૂરિ સેમસુંદર અભિનવો, પંચાસમિ પાટિ તે કહે, તપાગચ્છ સિરિ ટીકા થા. ૫૪ તેહને શિષ્ય સુ પુરુષ કહિવાય, જિનમંડણુ નામિ ઉવાય, કુમારપાલ પ્રબંધ જ કર્યો, સુણતાં નરનારી ચિત ઠર્યો. પપ શાસ્ત્રઈ સંખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યો ગુરુ નામી શીશ, સંવત ચાદ બાણુઓ ભલો, કુમારપાલ ગાયો ગુણની. ૫૬ કાવ્ય શ્લોક ગદ્ય જનાં જેહ, કેતાએક માંહિં આ તેહ, કેતાએક ભાવ ગુરુમુખથી લહ્યા, તે મિં જોડીં વિવરી કહ્યા. ૫૭ સેય ગ્રંથ હવડાં વંચાય, મનમાં મ રાખો શકાય, તે પ્રબંધમાંહિં જે જસ્ય, ઋષભ કહે મિં આપ્યું તર્યું. ૧૮ તાએક ગંભીર બાલ તિહાં જેહ, રાંસમાંહિ મિં જાણ્યા તેહ; કેતાએક પરંપરાઇ વાત, તે જડી આસ્થા અવદાત. ૫૯ જિન શાસ્ત્ર અને ભલાં, તિહાંથી વચન સુણ્ય કેતલા, રસ મધ્યે આયા તેહ આપ્યું નીતિશાસ્ત્ર વલિ જેહ. ૬૦ હેતુ યુક્તિ દષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસાર આયા તેહ, વચન વિરુદ્ધ કહું હેઈ જેહ, મિછાદુક્કડ ભાખું તેહ. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org