________________
૧૩
ત્યને રસ લાગ્યું નથી. બીજું એ કે એ કોમને સાક્ષરતા પામેલો વર્ગ, સાધુ, યતિ, મુનિજી વગેરેને, તે પણ અમુક અપવાદે સિવાય, ભંડારેમાં ભરાઈ રહેલી સામગ્રીને બહાર લાવવાની વિરુદ્ધ છે. આવી મુશ્કેલીઓ છતાં, અને એ મુશ્કેલીઓ કેટલી ભારે છે તે તે તે દૂર કરનારાજ જાણે છે. ધન્ય છે તેમને કે જેમણે એ ભંડારમાં અંધકાર સેવતા લાખ ગ્રંથમાંથી થોડા પણ પ્રસિદ્ધિમાં આણું આપણું જૂના સાહિત્ય પર, આપણી જૂની ભાષારચના પર, આપણાં જૂનાં કાવ્યને વસ્તુ પર પ્રકાશ નાખ્યા છે. સ્વર્ગસ્થ ભાઈ ચીમનલાલ દલાલ કે હાલ એવાજ કાર્યમાં ઘૂમી રહેલા ભાઈ મોહનલાલ દેશાઈ કે જૈન ગુર્જર સાહિત્યદ્વાર વાળી સંસ્થા તરફથી આનંદ કાવ્યમહેદધિની માઠિતમાળ પરેવનાર ઝવેરીઓને જેટલો આભાર માનીએ તેટલો છે. એવા એવા સાહિત્યવિલાસીઓના પ્રયાસથી આપણે જોઈ શક્યા છીએ કે શું નરસિંહ મહેતાના સમયમાં કે શું તેની પૂર્વે પણ જન તથા જૈનેતર લેખકો અને કવિઓની ભાષામાં કે કૃતિમાં માત્ર સાંપ્રદાયિક ભેદ બાદ કરતાં બીજી કઈ રીતની ભિન્નતા જોવામાં આવતી નથી.”
૧૧૨. આ લેખકે જન કવિઓ અને તેમની કૃતિઓને શતક વાર (૧૩માથી ર૦મા સુધી) વિસ્તૃત સૂચિરૂપે સંગ્રહ કર્યો છે તેને પ્રથમ ભાગ જૈન ગૂર્જર કવિઓએ નામથી જન છે. કોન્ફરન્સ તરફથી બહાર પડે છે તેમાં સત્તરમા સૈકા સુધીના સંગ્રહ આવ્યા છે. વળી તેમાં પ્રસ્તાવનામાં “જૂની ગૂજરાતી ભાષાને સંક્ષિપ્ત ઇતિહાસ” એ નામને ત્રણથી વધુ પૃષ્ઠવાળે આ લેખકે લખેલે નિબંધ પ્રકટ થયો છે. તે સર્વે પરથી જણાશે કે જેનેએ ગુજરાતી ભાષાના ઉત્કર્ષની ઉલટ અભિલાષા યથાશકિત પણ પુષ્કળ પ્રમાણમાં પરિપૂર્ણ કરી છે.
૧૧૩. છેવટે ગૂજરાતી સાહિત્યના સર્વ સમારંભમાં-ક્ષેત્રમાં જેને હમેટાં સામિલ રહી પિતાના અખૂટ સાહિત્યની પ્રસાદી આપ્યાંજ કરી જાન સાહિત્ય પર, જૂની ભાષા રચના પર, જૂનાં કાના વતુ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org