________________
સાહિત્યમાં ભાષાના ઇતિહાસ તેમજ સાહિત્યના ઈતિહાસ બંનેમાં ન પ્રકાશ મળે છે તેથી એ બધુઓના આપણે ખરેખના આભારી છિયે. હેમણે પ્રગટ કરેલા ગ્રન્થો પ્રાચીન સાહિત્યના છતાં, તેમની પ્રવૃત્તિ આ યુગમાં શા થઇ છે તેથી આ યુગમાં આટલું એ પ્રવૃત્તિનું દર્શન
૧૦૧. ઉકત પરિષદમાં જૈન સાક્ષર શ્રી (હાલ સ્વર્ગસ્થ) ચીમનલાલ કાલાભાઈ દલાલ એમ. એ. એ “પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય એ નામને અતિ ઉપયોગી માહિતીવાળા વિદ્વત્તાયુક્ત નિબંધ મકલી જૈન પાસે શું થયું છે–શું ખાને છે તેનું ભાન ગૂજરાતી સાહિત્યજગતને કરાવ્યું હતું.
૧૭. સાહિત્યસૃષ્ટિવિધાયક શ્રીમાન (હાલ રવ.) રણજિતરામ વાવાભાઈ મહેતાએ સને ૧૮૧૭માં પિતાના એક લેખમાં લખ્યું હતું –
ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જન સંસ્કૃતિને સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણને જે પ્રભાવ છે તે પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણને નથી. બીજા પ્રાંતમાં બ્રાહ્મણે અને બ્રાહ્મણેતરો (શુદ્ધ) શિવાય બીજા વર્ષે નથી હતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ વણે છે. બાહ્મણો અને શુદ્ર વચ્ચે જે મોટું અંતર બીજા પ્રાંતમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રીય, શુદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે અને વૈશ્ય વારાણ અથવા શુદ્ર થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અણુરાગ, વિરોધ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org