SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજય પર જવાનો સંઘ કાઢો. આમાં શ્રી જિનરાજસૂરિ પ્રમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંઘમાં ગયા હતા. આ સંધ શત્રુજયની યાત્રા કરી આવ્ય-સં. ૧૬ ૮૨ પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગોર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રચ્યો. ત્યાંથી સં. ૧૬૮૩ મેડતામાં, સં૦ ૧૬૮૫ લૂણકર્ણસર, સં. ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડ્યો હતો કે જેનું વર્ણન તેમણે ચંપક ચેપઈમાં કર્યું છે. સં. ૧૬ ૮૯ મીમીજાના રાજ્યમાં અપુર (અમદાવાદ) માં, સં. ૧૬૯૧ ખંભાત, સં. ૧૬૯૪ અને ૧૬૯૫ જાલોર, તેમાંથી તે વેલ લઈ તેના પ્રતાપે અખૂટ ધીથી અઢળક સંપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિંહ સૂરિને કહી, ગુરૂએ સુકૃતાર્થ કરવા કહ્યું ત્યારે થિરૂએ ત્યાં થઈ ગયેલા ધીરરાજ (ધીરાજી ભાટી) એ સં. ૧૧૯૬ પછી બંધાવેલાં લોધરામાંના સહસ્ત્રફણું પાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો તેમાં વિશાલ પ્રતિમા સ્થાપના કરી. અને પોતાની બે પત્ની તથા બે પુત્રના કહ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાએ બંધાવેલી છે. આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કતો મહા વિદ્વાન આચાર્ય જિનરાજ સૂરિએ સં. ૧૬૭૫ માં કરેલી છે. વિશેષમાં શેરશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરત્નનાં જિનબિંબ કરાવ્યાં. કોડે રૂપીઆ ખર્ચા, ત્યારપછી શત્રુંજયને સંધ સં. ૧૬૮૨ માં કાઢો. આની પહેલાં બાદશાહ અકબ્બરે થશાહને દિલહી બોલાવી ઘણું માન આપ્યું. શેરશાહે નવ હાથી, પાંચસે ઘોડા નજર ક્યાં ત્યારે બાદશાહે રાયનદા” ને ખિતાબ બફ. આથી આની ઓલાદ “રાયભણશાલી ” કહેવાય છે. આગ્રામાં મેટું જિનમંદિર થિરૂશાહે કરાવ્યું કે જે હાલ મેજૂદ છે. ભણશાલી એ મૂળનામ એ રીતે પડ્યું કે લોધ્રપુરના યદુવંશી ધીરાજી ભાટી રાજના યુવરાજ પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગે હતો તેને સં. ૧૧૯૬ માં ખરતરગચ્છના ચમત્કારી આચાર્ય જિનદત્ત સૂરિએ કહે તેથી રાજ કુટુંબ સહિત જેન થશે અને તેના પર આચાર્યે જૈનત્વની ક્રિયારૂપે ભંડશાલમાં વાસક્ષેપ કર્યો તેથી તેનું ગાત્રો ભંડશાલી ( ભણશાલી) સ્થાપિત થયું, અને તેના આ વંશજ ઘેરશાહ થયા. આ રીતે મૂલ ભણશાલી જૈન હતા. જુઓ મહાજન વંશ મુકતાવલિ પૃ. ૨૯-૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy