SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) માં સગાળશા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જૈનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ્ર (આમોદ) ના કાયસ્થ કવિ નરસા સુત ગણપતિએ માધવાનળની કથા ગૂજરાતીમાં બનાવેલી લોકકથા મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણી મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથે ધાર્મિક છે, પણ તેમાં આ લકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લોકિક બાબતો ઘણી પ્રાપ્ત થઈ શકે તેમ છે. કેટલાકે એમ માનતા હતા અને માને છે કે ગૂજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળ ભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાઓમાંથી અનેક રાસાઓ વાર્તાઓ રૂપે બનાવેલા મળી આવે છે એ વાત ઉપર ર્તાઓ અને તેમની કૃતિઓને નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભદ્રને વાર્તાઓના આદિ રચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સંભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભકે પિતાની વાર્તાઓનાં મૂળ-વસ્તુ પણ પ્રાચીન જૈન કવિઓના વાર્તારૂપે લખાયેલ રાસાઓ પરથી પ્રાયઃ લીધેલાં હોય. સં. ૧૫૭૨ માં સિંહકુશલે નંદબત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવો શામળભટ્ટની નંદબત્રીશી કે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરોક્ત કુશલલાભની માધવાનળ અને કામકુંડલાની કથા સાથે સરખા શામળભરે રચેલી બત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ડી બાબતમાં જૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે. તેમ વૈતાળ પચીસી, સિંહાસન બત્રીશી, સૂડાબહોતેરી વગેરે જેવી કૃતિઓ સાથે શામળભદની તે નામની કૃતિઓ સરખાવી શકાય. વખતે જૈન કવિઓએ જેમ લેકમાં ૮ સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ માધવાનળ કામકંદલાની લેક કથાપર ઑગસ્ટ ૧૯૨૪ “સાહિત્ય” માં પૃ. ૩૫-૩૬ર માં આવેલ લેખ. માં ન વગરની પ્રતિમા ને કવિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy