SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) એક સારા બ્રાહણની કન્યાનું માગું આવ્યું. પણ માધવાનને પરણવાની ના પાડી. જયંતી એકવાર સવારમાં આકાશગમન કરવા જતી હતી, તેને માધવે કહ્યું કે તારા વિરહે હું રહી શકતું નથી. અપ્સરાએ ધણુએ તાણ કરી અને તેમાં જે ભય રહ્યું છે તે જણાવ્યું, તે પણ માધવે માન્યું નહિ, ત્યારે તે કેટલીકવાર દિવસે પણ આવવા લાગી, ઈકને જાણ છતાં તેને ઠપકારી તેથી તે આવતી બંધ થઈ પણ જ્યાં ખરો પ્રેમ બંધાર્યો હોય, ત્યાં વિરહદના સહન થઈ ન શકે; તેથી તે માધવને સુરલોકમાં છાની રીતે લઈ ગઈ, ને ત્યાં સુખ માણવા લાગી. એક વખત જયંતીને ઈદસભામાં નાટક કરવાનું હતું ત્યારે તે પોતાના પ્રિયતમને ભમરો બનાવી કંચુકીમાં છાનો રાખીને નૃત્ય કરવા લાગી. ભ્રમરને કંઈ વેદના ન થાય માટે તે નૃત્ય કરતાં સંકેડાતી હતી, તેથી વહેમ આવતાં જોયું છે તે નરને ભ્રમર બનાવી સાથે લઈ આવી છે એમ જણાયું. એથી ઇંદ્ર બીજીવાર કોપાયમાને થઈ તેને શાપ દીધે કે સુરકમાં જોઈએ એટલું સુખ છતાં તું મૃત્યુલેકના નરને મેહી તેને સંગ કરે છે, માટે તું વેસ્થાને ત્યાં અવતરીશ. ઇકના શાપથી તેણે કળાવતી નગરીમાં કામ ગુણકાને પેટે અવતાર લીધે. આઠ વર્ષની વયે તે નાટક પીંગળ સંગીત વગેરે કલાએ શીખી. જુવાનીમાં આવી ત્યારે એસઠ કલાઓ શીખી અને અનુપમ રૂપ ધારણ કર્યું. માધવ જયંતીના વિરહથી ઝરે છે, ઘણા દિવસ તેની વાટ જુએ છે, અન્ન પાછું ને નિદ્રા તજે છે, પળમાં ફેએ ને પળમાં વલોપાત કરે છે. એવી માતપિતા દુઃખી થઈ તેને પૂછે છે, પણ તે કઈ વાત કરતું નથી. પછી પુરોહિત તેને વિવાહ કરે છે. સ્ત્રી સાથે તે રહે છે; અને તેને કંઈ લેહ લગાડવા માટે રાજદરબારે પિતાની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy