SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) કથાનું જુનામાં જુનું હસ્તલિખિત પુસ્તક ઈ. સ. ૧૫૩૦ મા આવેલું છે (Brit. Museum Catal p. 118.) આ કથા ૧૪ મા શતકમાં રચાયેલી મનાય છે. (Keith Catalogue of Sanskrit Mss in the Bodleian. Appendix p. 44) પુષ્પાવતીના રાજા ગોવિંદચંદ્રને માધવ નામને બ્રાહ્મણ (પુષ્પ બટુક) છે, તે રૂપથી નગર નારીએ વિવલ બની જાય છે અને તેથી પિરિજનો રાજા પાસે ફરીયાદ કરે છે. રાજા તેની પરીક્ષા કરવાને વાસ્તે પોતાની રાણીઓને સૂક્ષ્મ વસ્ત્ર પહેરાવીને તિલના ઢગલા ઉપર બેસાડે છે. માધવને જેને રાણીઓ વિહુવલ બને છે તથા તેમનું વિર્ય ખલિત થાય છે. આથી તેઓને વચ્ચે તિલ ચોટે છે. રાજા તે જોઈને પારજનોની ફરીઆદ ખરી માને છે; માધવને શહેરમાંથી નીકળી જવાની આજ્ઞા કરે છે. માધવ ફરતે ફરતે અમરાવતી નગરીમાં આવે છે અને રાજસભાના દ્વારે આવી ઉભા રહે છે. સભામાં ગીત નૃત્ય વગેરે થતાં હતાં તે સાંભળીને માધવે કીધું કે સભામાં બધા મૂર્ખ છે. રાજદ્વારપાળે રાજાને કીધું. રાજાએ પૂછ્યું કે શાથી? માધવે કીધું કે પૂર્વ દિશામાં તંત્રી વગાડનારને અંગુઠે નથી; તપાસ કરતાં તેમ માલુમ પડવાથી રાજાએ પોતાની પાસે બેસ વ્યો અને સન્માન આપ્યું. કામકંદલા વેશ્યા નાચ કરી રહી છે અને તેની ચંદનની કંચુકી ઉપર ભરો આવીને બેઠેલે છે. તે તેણે નાચમાં ખલન કર્યા વગર શ્વાસથી ઉડશે. સભામાંથી કેઈએ તે ચતુર પીછાની નહીં તેથી માધવને ખેદ છે. પોતે તેથી તેણીને પાનનું બીડું આપ્યું. કેટલીક પ્રમાં રાજાએ તેને જે સિરપાવ આપે હવે તે બક્ષીસ કર્યો એમ છે. આથી રાજા ગુસ્સે થશે અને તેને શહેર છેડી જતા રહેવાને હુકમ કર્યો. રસ્તામાં કામકંદલા તેને મળી અને તેને ત્યાં એક રાત્રી રહેવાને આગ્રહ કર્યો રાત્રિ સમસ્યા વિનેદ તથા આનંદથી પસાર કરી ( સંસ્કૃત પ્રથામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy