SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) હત. ભાનુજીએ બાદશાહની સભામાં કેટલાક બ્રાહ્મણ પતિ સાથે વાદ કર્યો હતો અને તેમાં વિજય મેળવ્યું હતું. જ્યારે બાદશાહ કાશ્મીરની મુસાફરીએ ગયે હતો ત્યારે તે ભાનુચંદ્રજીને પણ સાથે લઈ ગયો હતો. બાદશાહ ભાનચંદજીના મુખથી દરેક રવિવારે સૂર્યનાં સહસ્ત્રનામે શ્રવણ કરતો. (આ ઉપરથીજ પિતાને તે “અકબર જલાલદીન સૂર્યસહસ્ત્રનામા ધ્યાપકઃ ” જણાવે છે. જુઓ ઉપરનો વસંતરાજપરની પિતાની ટીકાનો અંતભાગ). કાશ્મીરના એક ૪૦ કેસના તળાવને કિનારે બાદશાહે પડાવ નાંખ્યો હતો તે વખતે એક પ્રસંગ આવતાં ભાનુચંદ્રજીએ શ્રી શત્રુંજય તીર્થની માગણી કરી હતી ને બાદશાહે પ્રસન્નતાપૂર્વક તે તીર્થ અર્પણ કર્યું હતું. (કર માફ કર્યો હતો અને તે સંબંધી ફરમાન પત્ર લખી આપ્યાં હતાં. કાશ્મીરથી પાછા ફરતાં બાદશાહની સાથે જ્યારે ભાનચંદ્રજી લાહોર આવ્યા હતા, ત્યારે તેમના ઉપદેશથી લાહોરના શ્રાવકેએ વીસ હજાર રૂપીઆ ખર્ચા એક મેટે ઉપાશ્રય કરાવ્યો હતો. એક વખત અકબર બાદશાહને એમ જણાવ્યું કે, ભાનુચંદ્રજી આવા વિદ્વાન અને પ્રભાવક હોવા છતાં તેમને કોઈ મોટી પદવી નથી તે મેળવી ઘટે, તેથી હીરવિજયરિતી પાટ ઉપર તેનો સ્થાપન કરવાની બાદશાહે પોતાની ઈચ્છા જણાવી, ત્યારે ભાનુચંદ્રજીએ ચાખી. ના પાડી ત્યાર પછી બાદશાહે હીરવિજયસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવીને મોટા સમા રોહપૂર્વક તેમને ઉપાધ્યાય પદ આપી. આ વખતે શેખ અબુલફજલે પચીસ બેડા અને દશહજાર રૂપીઆનું દાન કર્યું હતું. સાથે પણ ઘણે ખર્ચ કર્યો હતે. અકબર બાદશાહના દેહાન્ત પછી ભાનુવં ફરી આગ્રા જઈ અકબર બાદશાહે જે જે ફરમાનો કરી આપ્યાં હતાં, તે બધાં કાયમ રાખવાને જહાંગીર બાદશાહનો હુકમ મેળવ્યો હતો. આ ભાનુચંદ્ર પાસે અકબરના શાહજાદા જહાંગીર અને દાનીયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy