SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) વાચક પાસે અભ્યાસ કર્યો હતો. (જુઓ પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીનો અપ્રસિદ્ધ ગ્રંથકારોનો પરિચય-જેસલમેર ભંડાર સૂચિ પૃ. ૬૭) આ વાત પિતે પોતાની શોભનસ્તુતિ વૃત્તિમાં જણાવે છે. જુઓ તે વૃત્તિનો ઉલ્લેખ સ્વ. ડૅ. રામકૃષ્ણ ભાંડારકરના ૧૮૮૩-૮૪ ને રિપોર્ટ પૃ. ૧૫૬ નં. ૨૮૪ કે જેની પ્રત સં. ૧૬૯૯ ની લખેલી ભાંડારકર ઇન્સ્ટીટયુટમાં છે. આ હકીકત જયવિજયનાજ શિષ્ય શુભવિજયના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિજયે પિતાના અમદાવાદમાં સં. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂને દિને રચેલા ગૂજરાતી ભાષામાંના મહારાસ નામે શાંતિજિનવાસમાં પોતાની અંત પ્રશસ્તિ આપી છે તે પરથી જણાય છે કેશ્રી ગુરૂ હીરસૂરિસર શિષ્ય કલ્યાણ વિજય ઉવજઝાય પુરંદર દિન દિન ચતિ જગીસાશા રખાનંદન સોભાગી, સાચે વડ વૈરાગી સંમતિ અરથ વિચાર સદગુરૂ, સાચે શુભમતિ રાગીમાત પૂંજીબાઈ કુખે જાયે, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજય વર તેહના, દીપે અધિક સવાઈતસ અંતેવાસી ગુણ એ ભરિયા, બેલ ન બેલે વિરૂઆ, શ્રી જયવિજય વિબુધ શ્રત દરિયા, પાર્લે સુધી કિરિયાઅકબર પાસે ગયા. કલ્યાણવિજયે વેરાટમાં મોટી પ્રતિષ્ઠા કરી. પછી ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી વાત સં. ૧૬૫૫ ના આ માસ ૫ ને દિને તેના શિષ્ય જયવિજયે રચેલા કલ્યાણવિજય રાસમાં આવી છે. જુઓ મારી જૈન એતિહાસિક રાસમાળા ભા. ૧ લે. - ૪ રામવિજય–તેમણે શાંતિજિનરાસ ઉપરાંત સં. ૧૭૮૮ ના સ્વર્ગસ્થ થયેલા સાગરપક્ષના આચાર્ય લમીસાગરસૂરિને રાસ રચે છે (જુઓ મારી જૈન એ. રા. ભાગ ૧ લો) ને તે ઉપરાંત વીશી રચી છે. સંસ્કૃતમાં ઉપદેશમાળા પર વિસ્તૃત ટીકા લખી છે કે જેનું ભાષાંતર જે. ધ. પ્રસારક સભા ભાવનગરે છપાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy