SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ ખંડ -——આવા સમામાં સિદ્ધસેન સૂરિ વિહાર કરતા કરતા ભરૂચમાં આવ્યા તે સંઘને પ્રાકૃત ભાષામાં ગૂંથાએલા સર્વ સિદ્ધાંતેને સંસ્કૃતમાં અવતારવાની પોતાની ઇચ્છા જણાવી તેને આદેશ ભાગ્યા. સંઘે કહ્યું કે ચાદ પૂર્વધર, શ્રુતકેવળી પૂર્વે થઈ ગયા છતાં તેમણે તેમ ન કર્યું–જિન પ્રભુએ પણ ગણધરને આપેલી ત્રિપદી પણ પ્રાકૃત ભાષામાં આપી હતી તે! આવું કથન કરી આલેચનાને ( પ્રાયશ્ચિત્ત ) પાત્ર તમે દર્યા છે. તે કેટલી લેવી તે પાતાપર નાંખતાં આચાર્યે ખાર વર્ષ સુધી તે આંખેલ કરશે ને ત્યાંસુધી ગમ્હાર પોતે રહેશે એમ જણાવ્યું. સંઘે વધુમાં એ વિનંતિ કરી એક ગયું તીર્થ વાળા અને ખીજાં અજૈન રાજાને તિખાધી જૈન કરે. આ વાતષ્ણુ શિરે ચડાવી આચાર્ય કરતા કરતા અવન્તપુરીમાં આવ્યા. મહાકાળના મંદિરમાં પૂજકના માર્ગ વચ્ચે એ. અર્થકને અડચણ પડવાથી રાજને જઇ વાત કરતાં તેણે તેને ત્યાંથી ઉઠાડવા અનેક વ્યર્થ પ્રયત્ન કર્યા. વ્યાખરે ચાબુકના પ્રહાર કરતાં દરેક પ્રહાર અંતઃ પુરમાં રાણીએને લાગવા લાગ્યા ને ત્યાં રડારા થયા. આથી વિસ્મય પામી તેને સિદ્ધ સમજી રાજાએ ક્ષમા યાચી તેમનું સ્વરૂપ પૂછ્યું. સૂરિએ કહ્યું ‘તું અન્યાયી રાજા છે-અન્યાય જે થયા છે તે જણાવું છું કે પૂર્વે સુભદ્રાને પુત્ર અને ત્રીશ નારીને સ્વામી અવતિ સુકુમાર . નગરમાં વસતા હતા. તેણે આર્યસુહસ્તિ આચાર્ય પાસેથી નલિનીગુલ્મ વિમાનના અધિકાર સુણતાં પૂર્વજન્મ સાંભરી આવતાં તે ગુરૂપાસે દીક્ષા લીધી. ધ્યાનસ્થ થઇ સ્મશાનમાં કાયાત્સર્ગ કરી રહેતાં તેના ત્રીજા ભવની વેરણ શિયાલણી થઇ હતી તેણે ત્યાં આવી એટલે બધા ઉપદ્રવ કીધો કે તેને અંતે આયુ પૂર્ણ થયું તે તે મરી નલિની વિમાનમાં દેવતા થયા. તેના મરણુ પછી તેની ખત્રીશ સ્ત્રીમાંની એકે પુત્રને જન્મ આપ્યા. તે પુત્ર પિતાના મૃત્યુનું કારણ અને સ્થાન જાણી તે સ્થાને એક જિનપ્રાસાદ કરાવી તેમાં જિનમૂર્ત સ્થાપી. તેના પછી ધણા કાળ વીતિ ગયા અને કાઇએ તે જિન મૂર્તિના બિંબને ગાપવી-છૂપાવી રૂદ્ર ( શિવ )નું બિલ્ખ રાખી જળા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy