SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે ગ્રંથ કાવ્યપ્રકાશ સકેત નામને સં. ૧૨૪૬ (રસ વકત્ર ગ્રહાધીશ વસરે માસિ માધવે) ના ચિત્ર માસમાં રચ્યો કે જેને આધાર મમ્મટના કાવ્ય પ્રકાશને પિતાની ટીકા સહિત બહાર પાડનાર વાસનાચાર્ય શાસ્ત્રીએ લીધેલ છે. (જુઓ મુંબઈ સરકારની કાવ્ય પ્રકાશની આવૃત્તિ. આ કાવ્ય પ્રકાશ બી. એ. ના અભ્યાસક્રમમાં ઘણાં વર્ષો થયાં મુંબઈ યુનિવર્સિટીએ રાખેલ છે) આ ગ્રંથની પ્રશસ્તિમાં પિતે જણાવે છે કે એક વિદ્વાન તરીકે વિખ્યાત પામું તે અર્થે નહિ, વિદ્વાનોમાં માન મેળવવા ખાતર નહિ, પણ મારી અનુરમૃતિ માટે, જડ-મંદબુદ્ધિની ઉપકૃતિ માટે અને ચિત્તના વિનોદ અર્થે આ ટીકા રચી છે. (પીટર્સન ત્રીજે રિપેર્ટ પૃ. ૩૨૦ અને કુટનટ સુરસુંદરી ચરિયમ પ્રસ્તાવના પૃ. ૬). ત્રીજો ગ્રંથ દશ સ્કન્ધ અને સે સર્ગવાળે નલાયન અથવા કુબેરપુરાણુ તેમણે બનાવેલ છે કે જેને ઉલેખ ઉપર કરવામાં આવ્યું છે. આ સિવાય ગ્રંથ શાંતિનાથચરિત્ર સંસ્કૃતમાં આ રાજગરછીય કર્તાએ રચેલે છે અને તેની એક પ્રત પાલીતાણામાં વીરબાઈ પાઠશાળામાં મેજૂદ છે (મુનિભક્ત શાન્તિનાથચરિત્રમ. પ્રસ્તાવના પૃ. ૧૭) નલદમયંતીપર ગ્રંથ નદમયંતી સબંઘે જન તેમજ જૈનેતર કથાઓ અનેક રચાયેલી છે. જનકથા (ઉપરોક્ત કુબેરપુરાણ સિવાય) હેમચંદ્રના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૮ સર્ગ ત્રીજામાં, અને માલધારી દેવપ્રભસૂરિના સંસ્કૃત પાંડવચરિત્રમાં મળી આવે છે. આ બંને ગ્રંથ મૂળમાં છપાયેલછે એટલું જ નહિ, પરંતુ હેમચંદ્રના ઉક્ત પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પણ પ્રકટ થયેલ છે, અને ઉક્ત પાંડવ ચરિત્રમાંના નલદમયંતી ચરિત્રનું ગૂજરાતી ભાષાંતર ચરિતાવળીમાં પૃ. ૧૮૧૨૬૧ માં (પ્ર. જૈનધર્મ પ્રસારક સભા) પ્રસિદ્ધ થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy