SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય રચી વિદીમાં નામના મેળવી છે, તેનું વૃત્તાંત છે. દમયંતી તેમની રાણીનું નામ છે. આ રાસની કૃતિ માણિજ્યચંદ્ર સૂરિ કૃત નલાયન ( અથવા કુબેર પુરાણ) નામના ગ્રંથને અનુસરીને કર્તાએ રહી છે તે પરથી કહી શકાય કે તે સ્વતંત્ર નહિ પણ અનુવાદ છે. તે નલાયન ગ્રંથ ઉપલબ્ધ થયો નથી તેથી તે ગ્રંથની સાથે આ અનુવાદ સરખાવી કેવી કુશળતાની રાસકારે કાર્ય કર્યું છે, કેવી પ્રતિભા અનુવાદક તરીકે વાપરી છે, ભાષામાં ઉતારવા પિતાના તરફથી કયાં નવીન તત્ત્વ ઉમેરવામાં આવ્યાં છે તે, તેમજ મૂળ ગ્રંથ કયા ગ્રંથને આધારે રચવામાં આવ્યું છે, તેમાં શું શું આપવામાં આવ્યું છે તે અત્યારે કળી શકાય તેમ નથી. મૂળ ગ્રંથમાં જૈન અને જૈનેતર બંને હકીક્તનું સંમિશ્રિણ કરવામાં આવ્યું હતું, અને તેમાં નવે રસથી પૂર્ણ સે સર્ગ હતા એવું રાસકાર જણાવે છે – માણિક સૂર મહાયતિ, તિણે કર્યો નળાયન ગ્રંથ, નવ રસ પધિ વિલોવવા, કરે થયો જે સુરમંથ. ૧૪ સ્વ સમય ને પર સમયને, એકત્ર જિહાં અધિકાર. શત સર્ગ જેહના વાંચતાં, ઉલાસ થાય અપાર, ૧૫ અનુસરી તેહને મુખે કરી, અસ્તે જોડશું સંબંધ, મન રંગ એહવા ઉપના, બેલશું પુણ્ય પ્રબંધ. ૧૬ પૃ-૧૩ જયચન્દની સભામાં સભાપંડિત હતા. તેની માતાનું નામ મામલ્લાદેવી અને પિતાનું નામ હીર હતું. તેમણે કવિ તરીકે નૈષધ કાવ્ય બાવીસ સર્ગ વાળું બનાવ્યું છે કે જે એટલું બધું ઉત્તમ છે કે ત્રણ ઉત્તમ કાવ્યમાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે, અને દર્શન શાસ્ત્રના પંડિત તરીકે તેણે ખંડન ખંડ ખાદ્ય નામનો ગ્રંથ બનાવ્યો છે તે દર્શનને ઘણે અદ્ભુત અને કઠિન ગ્રંથ છે. ભેજરાજકૃત સરસ્વતીકંઠાભરણમાં નૈષધના શ્લોક ઉદાહરણમાં આપવામાં નથી આવ્યા અને ભજનો સમય ૧૦ ૨૬ થી ૧૦૮૩ ઇ. સ. માં સ્થિર કરવામાં આવ્યું છે તેથી અને મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશમાં નૈષધના લેક ઉદાહરણ તરીકે આપ્યા નથી એ પરથી શ્રી હર્ષ ભોજ અને મમ્મટ પછી એટલે ૧૧ મી સદી પછી થવાનું સિદ્ધ થાય છે, ડાકટર બુલરે અનેક પ્રમાણેથી સિદ્ધ કર્યું છે કે શ્રી હર્ષ બારમી સદીના ઉત્તર ભાગમાં વિદ્યમાન હતા. આજ સમય કનોજના રાજા જયચંદને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy