SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તાવવા માટે અત્ર સ્થાનને અભાવ છે; છતાં એકંદરે અપક્ષદષ્ટિથી જોતાં જણાય તેમ છે કે નયસુંદર કોઈ કઈ બાબતમાં પ્રેમાનંદને ટક્કર પણ મારી શકે તેમ છે અને ઘણું બાબતમાં તેની સમાન કક્ષામાં ઉતરે છે. પણ આ કથનમાં ઉદાહરણ માત્ર રૂપે કહીએ તે – (૧) પ્રેમાનંદનું નળખ્યાન તેમાં દમયંતીએ કરેલ વિલાપ “વૈદભ વનમાં વલવલે” અને ત્યાર પછીનું કહેવું બંને પ્રસિદ્ધ છે. આ સાથે સરખાવેદ – (૨) નયસુંદર-નળ દમયંતી રાસના પૃ. ૩૪૦ માં દમયંતીને વિગ વિલાપ અને સુરસુંદરી રાસમાં સુરસુંદરીને વિલાપ ઢાળ ૮ પૃ ૨૭૩ ઢાળ ૮ પૃ. ૨૭૫ ત્રીજું ભક્તિક. બીજા નમુના છેલ્લાં રૂપે માનવી, સસે ન વાસે સેય” થી શરૂ થતું સ્ત્રી વર્ણન પૃ. ૭૮-૮૨. શૃંગાર ( વિલાસાનંદ) ૫ ૮૯, જેવી રીતે “મહા કવિ પ્રેમાનંદમાં રહેલી પ્રશંસનીય કાવ્યશક્તિ અને લેક રૂચિને પિષે એવાં, કવચિત સામાન્ય અને કવચિત ઉચ્ચ રસથી જમાવેલાં ઉત્કૃષ્ટ આખ્યાને રચવાની પ્રતિભા અને કલા. વસ્તુ ભેદ જન રૂચિ અને પાત્ર વિવેકથી તેમજ રસની ઝમાવટની ચાતુરી પર લક્ષ રાખી વસ્તુની કરેલી ખીલવણીમાં રહેલું જ્ઞાન, બુદ્ધિ, કલા, ચાતુર્ય, અનુભવ અને અવલોકનની તેજસ્વિતા સવિશેષ આકર્ષક છે અને એજ ગુણ તેને નિઃસંશય ગુર્જર કવિઓમાં અગ્રપદ શોભાવે છે” એમ હોય તો નયસુંદર તેજ ગુણેથી ઉત્તમ પંક્તિને કવિ થઈ -રહી શકે તેમ છે. નળ દમયંતી રાસ એક ભાષાંતર તરીકે નળ દમયંતી રાસમાં પુણ્ય ક નળ રાજા કે જેના સંબંધે ૧૨ શ્રી હર્ષ નામના પ્રસિદ્ધ સંસ્કૃત કવિએ “નૈષધ કાવ્ય” નામનું મહા ૧૨ જુઓ ભારતી લબ્ધ પ્રસાદ બુધ, શ્રી હરણ સરિખ જેહ કવિતારે કરતિ જેહની, નવ તૃપ્તિ પામ્યા તેહ. ૧૩ પૃ. ૧૭૩ શ્રી હર્ષ સંબંધમાં જુઓ સરસવતી અકબર ૧૯૧૫ નો અંક પૃ. ૨૪૬ પર “મહાકવિ શ્રી હર્ષ” એ નામને લેખ. શ્રી હર્ષ કને જના રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy