SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ પ્રસ્તાવના રૂપે લખાય છે તે ખાસ ધ્યાન ખેંચનારા છે, જ્યારે “રાસ” પ્રાચીન ઈતિહાસ ઉપર ઘણીક બાબતનું અજવાળું પાડનારા જણાયા છે. આગળના ત્રણ મૌક્તિકમાં, ગુજરાતી ભાષા કયારે ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ અને તેનાં સઉથી પ્રાચીન પુસ્તક કયા હાઈ શકે, એ બાબતો ઉપર કેટલીક વિદ્વતાભરી બીનાઓ જણાવવામાં આવી હતી, અને તે ઉપર જે અન્ય સાક્ષરનું ધ્યાન ખેંચાય તે ઉપલા સવાલો ઉપર ઘણું અગત્યનું અજવાળું પડયા વગર નહીં રહે. હાલના શત્રુંજયમાહાસ્યના પુસ્તકમાં મુનિરાજશ્રી બુદ્ધિસાગરસૂરિએ કાઠીયાવાડમાં એક અગત્યના તીર્થ તરીકે ગણાતા જ શત્રુંજય” પહાડ અને તે ઉપર આવેલા તીર્થો વિષે ઘણુક વિદ્વતાભરી અને ઐતિહાસીક દષ્ટિએ ઉપયોગી થઈ પડે એવી બીનાઓ આપી છે અને તે ઉપર પણ સામે ક્ષરોએ ધ્યાન આપવા જેવું છે. એ વાંચતાં “ શત્રુંજયમાહા” ” કયારે કયારે રચવામાં આવ્યું તે બાબત ઉપર અજવાળું પડે છે. તે ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે એ પુસ્તકની રચના શ્રીમહાવીરસ્વામીના શિષ્ય શ્રીસુધર્માસ્વામીએ પ્રથમ કરી હતી, જ્યારે ગુજરાતી ભાષામાં આ રાસ લખવાને શ્રીમાન બનહર્ષને પ્રયાસ સંવત્ ૧૭૫૫ માં થયો હતો. શ્રીમહાવીરસ્વામીને થઈ ગયાને ૨૫૦૦ કરતાં વધુ વર્ષો થયાં છે, તે જોતાં “શત્રુંજય” ને મહીમાં પ્રાચીનકાળમાં પણ મોટે હવે એ કોઈ પણ સમજી શકશે. શ્રીબુદ્ધિસાગરસૂરિએ પિતાની પ્રસ્તાવનામાં જે કેટલીક બીનાઓ જણાવી છે તે ઉપરથી એમ માનવાને કારણુ મળે છે કે અગાઉ અનાર્ય દેશમાં–અને ખાસ કરીને ગીઝની ( કે જે તે વખતે તક્ષશીલાના નામથી ઓળખાતું હતું) શહેરમાં પણ જૈન ધર્મને પ્રચાર હશે. આ બાબત એતિહાસીક દષ્ટિએ તપાસવા જેવી છે. તે ઉપરાંત પ્રસ્તાવનામાં જણાવવામાં આવે લી બીજી બાબતે ઉપરથી એમ પણ માનવાને કારણું મળે છે કે શિલાદિત્ય રાજા, વીર વિક્રમ, શ્રીસિદ્ધસેનદિવાકર અને વલ્લભીના રાજાઓ જ હતા, એટલું જ નહીં પણ ચિતડના પૂર્વ કાળના રાજ્યકર્તાઓ પણ એજ ધર્મના હતા. એ બાબત પણ ઐતિહાસીક દષ્ટિએ તપાસવા જેવી છે. વિદ્વાન સંશોધકે પ્રસ્તાવનામાં શિલાદીત્યની ઉત્પત્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy