SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્તમાનવીય. કવિવર નયસુંદર, કર્સના સમયની સ્થિતિ, છે. આપણે મધ્યકાલીન કે જૂની ગૂજરાતીન યુગ વિક્રમ પદરમા શતકથી તે સત્તરમા સૈકા સુધી લઈએ તે નયસુંદરની કૃતિઓ (સં. ૧૬૩૬ થી ૧૬૬૮ની છે તે) આ યુગના કાવ્ય સાહિત્યમાં આવે છે. આ યુગમાં વિશેષ ભાગે ધાર્મિક સાહિત્ય જોવામાં આવે છે અને ખાસ કરીને જૈન સાહિત્ય તે જૈન શબ્દથી ધ્વનિત ધાર્મિક તત્વથી ઓતપ્રેત હોય જ. - આ યુગના સમય દરમ્યાન ગુજરાતની રાજ્યસ્થિતિ જોઈશું તે સ્પષ્ટ જણાશે કે વાઘેલા વંશને અંત આવતાં મુસલમાનેએ અનેક ચડાઈએ યુદ્ધ અને આક્રમણ કરી સ્થાનિક રજપૂત રાજ્યને અસ્તવ્યસ્ત કર્યું, મંદિરો-જૈન, શિવ કે વૈષ્ણવને જમીનદોસ્ત કર્યો, તેના સુંદર પ –કારીગિરીના નમૂનાઓ મસીદે બાંધવામાં વપરાયાં, રાજ્યવ્યવસ્થા બદલાઈ અને તેથી ગૂર્જરદેશના ભાગલા પડયા ને પાટનગરો બદલાયાં. મૂગલ શહેનશાહતમાં તે અનેક સૂબાએ એક પછી એક ઢક વખતના ગાળા પછી આવવા લાગ્યા અને અંતર્વિરોધ સૂબા સૂબા વચ્ચે અને દિલ્હને અમીરે ને સૂબા વચ્ચે રહેવાથી ગુજરાતને અત્યંત સહેવું પડયું, આવી રીતે ગુજરાતની સ્થિતિ છિન્ન ભિન્ન થઈ ગઈ, જાનમાલની સલામતીને માટે લોકોને પગલે પગલે ભય રહેવા લાગે, વેપારમાં એક સ્થળેથી બીજે સ્થળે માલ લઈ જવામાં કે મંગાવવામાં લૂંટારૂઓના ત્રાસથી અનેક પ્રતિબંધો આવ્યા. આ છતાં પણ જનસાધુઓ નિસંગ અને નિષ્પતિગ્રહ રહી ચોમાસા સિવાય વર્ષના આઠ મહિનામાં ગ્રામાનુગ્રામ પાદવિહાર કરી ચાતુર્માસમાં એક ગામમાં સ્થિતિ રાખી સાહિત્યને અખંડિત પ્રવાહધારાએ પાણી ઉપજાવી ખિલાવતા આવ્યા છે એ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ સમગ્ર જૈનસાહિત્યની આલોચના કરતાં સહેજે જણાઈ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy