SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સૈકાનું તે છે જ. આવા પ્રકારનું ગુજરાતી સાહિત્ય જેનપંડિતે દ્વારા બે પ્રકારથી ગુંથાયેલું જોવામાં આવે છે. એક તે “ગદ્યરૂપ” (ગ્રન્થ તથા સૂત્રોના બાળાવબોધ) અને બીજું “પદ્યરૂપ” (પણ, ત્રીજા“ચપૂરૂપમાં” ગુજરાતી જૈનસાહિત્ય વિશેષ હોય, તેવું, હજુ સૂધી દષ્ટિગત થયું નથી.) એમ બે પ્રકારનું ગૂજર્જરીસાહિત્ય વિકમના તેરમા સૈકાથી આજસૂધી તે તે સમયની ચાલુ ભાષાઓમાં જેનકવિઓને હાથે અવિચ્છિન્નધારારૂપે રચાયેલું છે. આવા પ્રકારનું ગુજરાતી સાહિત્ય, જૈનેતર કેઈપણું ગુજરાતી કવિઓએ એટલા જૂના કાળમાં રચ્યું હોય એવું હજુસુધી તે કઈ ગુજરાતી સાહિત્ય-સંશોધકના જાણવામાં આવ્યું હોય તેવું જણાયું નથી. સંસ્કૃત અને સામાજીક પ્રાકૃતભાષાવડે જનસમાજવ્યવહાર જ્યારે ખંડિત થવા લાગ્યા, ત્યારે તે સ્થાન ગુજરાતમાં ક્રમે ક્રમે અપભ્રંશપ્રાકૃતમાંથી ગુજરાતીને મળ્યું. પરંતુ સંપૂર રીત્યા તેનું સમ્યક્ ખેડાણ તે વિક્રમના લગભગ ૧૪૦૦ વર્ષો વિત્યા બાદ જ થવા લાગ્યું. અર્થાત્ તે પૂર્વેની ૧૨ મા ૧૩ મા. શતકથી લઈને ૧૪ મા શતકસૂધીની તે અપભ્રંશપ્રાકૃતજ રહેવા પામેલી જણાય છે. “ગૂજરાતી ભાષાનું મૂળ જૈનેથીજ પાણું છે? એ એકદમ કહી દેવું તે જરા વિચારવા જેવું છે, પરંતુ એટલું તે અવશ્ય છે જ કે જૈનેએ તેને બાળપણથી તે અત્યારસૂધી સર્વપ્રકારે લાલી–પાલી છે. અને તેથી ભાષામૂલ“ જૈનેથી વિસ્તા ૧–અમારા કેટલાક મિત્રોનું કહેવું છે કે –“ ગૂજરાતી ભાષાનું મૂલ જૈનેથીજ રોપાયું છે, અને તેના પુરાવા તરીકે રાસાઓ સાક્ષી પૂરે છે, તે પછી, વાદીની દલીલો મજબૂત હોઈ પ્રતિવાદીની દલીલ ટકી શકતી ન હોવાથી અનિશ્ચયાત્મક વાક્ય મૂકવાની જરૂર શી? છાતી ઠેકી સત્યવાત શા માટે ન જણાવવી ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy