SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરાણકા. તેને ભારમાં રાખવા સિવાય બીજો રસ્તો નહોતો. કાળક્રમે સમયાનુકુલ જાયેલ તે ઉપાયજ, સાહિત્યના વિસ્તારને સંકુચિત કરવા સાધનભૂત થયે. અને તે પણ વળી કમનશીબે એવા સમયે થયો કે, તે સાહિત્યને વૃદ્ધિગત કરવાના માર્ગે જ્યારે ઘણું દૂર હતા. જે ધર્મનિષ્ઠ પુરૂષ પર વંશપરંપરાથી સાહિત્યરક્ષણની ધાર્મિક ફરજ આવી પડી હતી,તેઓએ, તે સાહિત્યના અંશમાત્રને પણ–રખેને તેઓ તેથી વિમુખ થાય, અને તેઓના અતિધર્મપ્રિયસાહિત્યને જાલિમખુલ્મ અંત આણે, એવી ભાવના પિતાના પૂર્વજો પાસેથી ગ્રહણ કરી હતી તે મુજ –સૂર્યના કિરણમાં નહિ પડવા દેવા માટે સંપ ઉપાયો જ્યા હતા. અતિવિસ્મયની વાત છે કે, તે ભાવનાઓ કેટલેક અંશે અદ્યાપિ સજીવન છે, કે જ્યારે દેશ સર્વત્ર શાંતિમય બની રહેલો છે, અને સાહિત્યની ખીલવણુ માટે વખત ઘણે યોગ્ય છે. ધાર્મિક પુસ્તકોની સંખ્યા ઓછી બનાવવામાં અગ્નિએ પણ પિતાને હિસ્સો આપવામાં કઈ બાકી રાખી નથી! આ કારણમાં વળી ધર્મના અનુયાયીઓની અધોગતિએ પણ એક ઉમેરો કર્યો, કે જેને લઇને ધાર્મિકતાને ફેલાવો કરવાનું તો બાજુએ રહ્યું, પણ ધર્મજ ઘણાં વિકટસંકટમાં આવી ૫ડત ! તે એ કાળ હતો કે જે વખતે બાહ્યક્રિયાઓને ઘણું મહત્તા આપવામાં આવતી હતી, (જો કે બાહ્યક્રિયાઓથી વધારે નિર્મલચિત્ત થઈ નિરૂપાધિ કાર્ય થાય છે. અને તે વાત જૈનેના જુજ સાધુઓએ કરેલી જૈન ગૂજરાતી સાહિત્યની ખીલવણીથી જણાઈ આવે છે.) તથા ધાર્મિક જ્ઞાન અને સાહિત્યને વધારવા તરફ; ધાર્મિકબળ એકત્ર કરવા તરફ; અને આંતરિકધાકિજુરસો પ્રદીપ્ત કરવા તરફ ઓછું લક્ષ આપવામાં આવતું હતું. (જો કે દરેક સૈકામાં કે કઈ વિદ્વાને સામાન્યતઃ પ્રચલિતભાષાના કવિ થયા છે ખરાં !) માત્ર હવણું વણથીજ ધર્મઉદયનું પ્રભાત ક્ષિતિજમાં દષ્ટિગોચર થાય છે. આવા કારણથી લઈને મહાશકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy