SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન વિમલપુરી ગયો હતો. ત્યાં ત્યાંના રાજાએ પ્રેમલાલક્ષ્મીને માટે વર શોધવા પ્રયત્ન આરંભ્યો હતો. જેમાં અમારા દેશના વ્યાપારીના મોઢેથી અમારા પુત્ર કનકવિજનાં વખાણ સાંભળી પ્રેમલાને કનકધ્વજ સાથે આપવા વિચાર કીધો. તેથી પિતાના ચાર મંત્રીઓને કનક વજને કોઈ પણ રીતે જોવાની ભલામણ કરીને વ્યાપારીસાથે સિંધુદેશ મોકલ્યા. તેઓએ કનકદવજના વિવાહમાટે મને બહુપ્રકારે વિનવ્યા, પરંતુ પુત્ર કાઢી લેવાથી મેં પણ અનેકરીતે તેઓને સમજાવી ના કહી, પણ તે સમજાવવું વ્યર્થ થયું. મહારા હિંસક મંત્રીએ તે ચારે સાથે મળીને વિવાહ નક્કી કર્યો. વિવાહ પહેલાં કનકદવજને જોવા માટે તે મંત્રીઓએ બહુ જક કરી, તેને હિંસકે કામાદિભેદે સખી વિવાહ નક્કી કરી તેઓને વિમલપુરી વિદાય કર્યા. મેં હિંસકને ઠબકે આપે, હિંસક કુલદેવી આરાધી સુત સાજો કરાવવા સૂચવ્યું. મેં તે પ્રમાણે કર્યું, તે દેવીએ કહ્યું કે–“ એ રેગ સાજો થશે નહિ. પરંતુ લમસમયે સાંજના તમારે ત્યાં એક સુપુરૂષ આવશે. તેને તમે ચદ કહી બોલાવજે. તે તમને પ્રેમલાને પરણીને આપશે, અને તે પિતાને ઘેર જશે.” એમ કહી દેવી ચાલતી થઈ. આ પછી હમે લગ્નસજાઈ કરીને આંહી વિમલપુરી આવ્યા. વહુવાળા અને વર પધરાવવા ઉતાવળ કરે છે, પરંતુ તેઓને હાહા કહી સમજાવી વિદાય કરીએ છીએ, અને તેટલાં માટેજ આંહી લગ્નઉત્સવ, દીપમંઢાણ, ધવળમંગળ, હર્ષનાદ, કે વાજાંગારાં તમોને જણતાં નથી.” આ પ્રમાણે કનર, દેવીવચનવાળું વૃત્તાંત ચંદ રાજાને જણાવી જણાવ્યું કે, “ હી હમે તમારી જ રાહ જોતાં હતાં, એવામાં તમે આવ્યા, માટે હવે હમારી ઈચ્છા પાર પાડે.” ચંદ ના પાડે છે અને કનકર મરણુભય બતાવે છે તેથી ચંદ– છવ નર મંગલક કાર્ડિ, તે કરતાં પણિ નહીં ખેડિ; ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy