SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રિન્ટ તમે સર્વે નિરૂત્સાહ કેમ છે?” વિગેરે પૂછે છે. રાજા “તે પછી કહેશું” કહી “પહેલાં અમારું કાર્ય કરી આપ” એમ કહે છે. કાર્ય પૂછતાં કનકરથ “ગુણવલી સાથે તમો પરણુંને, તે મહારા પુત્રને લાવી આપો એમ કહે છે. ચંદરાજા “તમારો પુત્ર પરણવા આવ્યો છે, પછી મને શા સારું લજવો છે” તેમ કહે છે. ત્યારે કનકરથ “મહા પુત્ર કઢી છે, તેથી તમને કહું છું” અહિ પહેલો અધિકાર પુરો થાય છે. અને બીજો આધકાર શરૂ કરતાં કવિ, પ્રેમલાવર્ણન અને ચંદચરિત્ર જણાવવા કથે છે. બીજા અધિકારમાં કનકરથ, ચંદને પરણવા વિનવે છે, પણ ચન્દ્ર નાજ કહે છે. જેથી કનકરથને હિંસકમંત્રિ “હમારી સાથે તમારી પણ હત્યા થશે” વિગેરે વિગેરે સમજાવે છે. પરંતુ ચંદ એકને બે થતું નથી. છેવટે દેવીવચન છે” એવું કનકરથ કહે છે, ત્યારે, ચંદ “પહેલાં તે વૃતાંત જાણ્યા પછી જ હું તમારા વચનને અંગીકાર કરીશ” એવું જણાવવાથી, કનકરથ તે વૃતાંત સિંધલપુરનો હું કનકરથ રાજા છું. મહારે કનકાવતી સ્ત્રી, અને હિંસક નામા મંત્રી છે. પુત્ર નહીં હોવાથી રાણીને શોકાતુર જોઈ હું પણ શેકામિથી ગ્લાનિ પામવા લાગે તે જોઈ મંત્રીએ કારણ પૂછવાથી મંત્રીને સવિસ્તર કારણ જણાવ્યું. મંત્રીએ કુલદેવી આરાધવાનું કહેવાથી કુલદેવીને આરાધી પરંતુ તેણે તને “પુત્રસુખ નથી તેમ જણાવ્યું, પણ અંતે “કઢી પુત્ર થશે, અને લવેળાએ મારા વચનથી વસંયોગ થશે” એવું જણાવી તે સ્વસ્થાનકે ગઈ. પછી પૂરે માસે રાણીને પુત્ર થયો. જન્મથીજ તે કઢીઓ હોવાથી તેને : ભૂમંદિરમાં રાખી, બહાર રૂપવાન , કલાવાન : ભાગ્યવાન વિગેરે વાળો હોવાથી લોકોની તેને નજર લાગે એવું જણાવવા લાગ્યા. એક વખતે અમારા દેશનો વ્યાપારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy