SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંના ચંદરાજાને વીરમતી નામની સાવકી માતા, અને ગુણાવલી નામની ધર્મપત્નિ હોવાનું જણાવી ચરિત્રને આગલા ચલાવે છે. એક દિવસ મધ્યાહસમયે સાસૂવદૂ વાર્તાગણી કરવાને બેઠાં છે. તેવામાં સામૂ, વદને કહે છે કે “હે બેટા ! જે તું આવે તો આપણે, વિમલપુરીના રાજા મકરવજની પુત્રી પ્રેમલાલમીના લગ્ન, આજે રાત્રે કકરથના પુત્ર કનકધવજસાથે થવાનાં છે તે જોવા જઈએ ! ગુણવલી સન્નારી હેવાથી ના કહે છે. છતાં પણ સાચું અનેક પ્રકારે તેને સમજાવી ભલી ગુણાવલીને જોવા માટે તૈયાર કરે છે. અંતમાં ગુણુવલી રાજાનો ભય બતાવે છે. પરંતુ અનેકન્નમંત્રાદિકની જાણ વીરમતી, સ્વમંત્રબલથી રાજાને, અને ગામને નિકાશ કરી દેવા, અને તે પછી વિમલપુરી જવા કહે છે. ગુણાવલી પણ, “નવીન વસ્તુ દરેકને ગમે,” તે નિયમ મુજબ હા કહે છે. એટલે રાણી વિદ્યાજેરથી સારા ગામમાં ઘર બનાવી દઈ એકદમ શીતવાયુને પુરાવે છે. આથી રાજાને એકદમ શીત લાગવાથી રાજ્યકાર્ય પડતું મૂકી, તુરત સ્વમંદિરે આવી, ગુણાવલી પાસે સગડી કરવી, તાપીને શરીરમાં ઉષ્ણતા આણે છે. તે પણ શિરની શીતતા શાંત ન થતી હોવાથી રાજ, રાણુના ઉસંગમાં સુએ છે. રાણીને સાસુસાથે જવાનું હોવાથી તે રાજાને પલંગ ઉપર સૂવા કહે છે. રાજા તેની ચપળતાને સમજી જઈ ટૅગ કરી પલંગમાં ઊંઘી જાય છે. પછી ગુણાવલી ત્યાંથી ઉઠી ઉતાવળી વીરમતી પાસે જાય છે. પાછળથી રાજા પણ ઉઠી તે ન જ છે તેમ રાણીની પછાડી તે શું કરે છે તે જોવા જાય છે. વિરમતી એક કણેરની કાંબી રાણીને મંત્રી આપીને રાજાની પથારી પર ત્રવાર બકાવવા કહે છે. જેથી રાજા તુરત ઉતાવળે પાછા આવી પથારીમાં પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy