SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન) વ્યાપારીમુખથી વેશ્યાના ઘરની વાત કહીને કુસુમશ્રી અને પોપટને મેલાપ અહી થશે એમ નિર્ણય કરે છે. વીરસેન પણ એક રાતના પક્ષ સ્થાને ઘેર જાય છે. કુસુમશ્રી, વીરસેનને આવતો જોઈ, પોપટને હર્ષવધામણી આપે છે. પિપટ વીરસેનને પણ આજ રાત્રે. પાછો વાળવા કહે છે. પરન્તુ વિરહાનલથી વ્યાકુલ બાળા તેમ કરવા સાફ ના પાડે છે. વીરસેન ત્યાં આવી બેસે છે, કુસુમથી તેને જોઇ “વેમ્યાઘરે મારો વાસ હોવાથી મારા ઉપર વિશ્વાસી થશે કે નહિ ! “એવા વિમાસણમાં પડી સલજજ ઉભી રહે છે. વીરસેન પણ એને હાવભાવાદિ કામચેષ્ટા વિનાની ઉભેલી જોઈ વિચારે છે –.. “હવે, કુમર ચિંતવે, એ ગુણ વેશ્યામેં નહાય; હાવભાવ દીસે નહીં, વળી અંગચાલો નવિ કેય, કે મુખથી બોલતી નથી, નિજર ન મિલેં નવિ જોય,” પાનું ૧૪૬ દુહા. આવા વિચારમાં તેની નજર પોપટઉપર પડે છે. પોપટ વીસેનને ખેલામાં બેસી, “આજ તમારી સ્ત્રી કુસુમશ્રી છે.” એમ કહે છે ! આ સાંભળતાં વેંત જ વીરસેન, કુસુમશ્રી અને પિપટપર કોપાયમાન થઇ, વેશ્યાઘેર રહી આવા વીચ કાર્ય માટે ઠબકે આપે છે. પછી પિપટ તેને સમજાવવા સારૂ ઉત્તર આપવા જાય છે તેવામાં એક અચાનક પ્રસંગ ત્યાં બને છે. કવિ કહે છે કે “આ પ્રસંગ કુસુમીકલંક ટાલવામાટેજ બને છે. ” અર્થાત આ તુકપ્રસંગથી કુસુમથી ઉપરને હેમ દૂર જાય છે. ત્યાંનાજ રાજમંદિરમાં તે વખતે એકાએક એક મોટો કોલાહલ થાય છે, અને તે જોવાસારૂ વીરસેન ત્યાંથી એકદમ નીકલી પડી રાજભુવનતરફ જવા પ્રેરાય છે. આ પછી પોપટની આજ્ઞાથી રાણી, જયાં સુધી વીરસેન મળે નહિ ત્યાંસુધી દેહત્સર્ગધ્યાનમાં લીન રહેવાનું તારોપણ પ્રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy