SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २६ षाडशकप्रकरणं - ગ્રંથિભેદ + નિર્મળ બોધ + પ્રણિધાનાદિનું સંવેદન = સાનુબંધ પુષ્ટિ-શુદ્ધિ, (પૃ.૭૨). - સ્વાર્થવૃત્તિ એ સાધના અને સાધ્ય પ્રત્યેનો આદરભાવ નષ્ટ કરે છે. (પૃ.૭૪) - અધિકાગસંપન્ન પ્રત્યે ઉદ્ધતાઈ, સમાન ગુરગવાળાની ઈર્ષા-નિંદા અને હીનગાગવાળા પ્રત્યે ધિકકાર હોય તો ધર્મસિદ્ધિ નકલી સમજવી. (પૃ.૩૯) - બહારની ક્રિયા ખોખાના સ્થાને છે. જ્યારે ભાવ એ ખોખાની અંદર રહેલ સુવર્ણહારના સ્થાને છે. (પૃ.૮૨) - અવિરતિધરના નિર્મલ સમ્યગ્દર્શનનું અવશ્યભાવી કાર્ય છે પાપપ્રવૃત્તિમાં બળાપો, હૈયાનો વલોપાત, કાળો કલ્પાંત. (પૃ.૮૭) - ઉદારતામાં ઔચિત્ય કેળવવું કદાગ છે, કેમ કે તે માટે માર્ગાનુસારી પ્રકૃટ ક્ષયોપશમની આવશ્યકતા છે. (પૃ.૯૧) - પશુ કરતાં માનવની વિશેષતા એ જ છે કે માણસ પોતાનો સ્વાર્થ ગૌણ કરીને બીજાની સેવા કરી શકે છે. (પૃ.૯૨) - સમકિતની પરિણતિમાં મન મોક્ષમાં, તન સંસારમાં, જ્વલંત રુચિ ધર્મમાં. (પૃ.૯૩). - મુમુક્ષ માટે સૌ પ્રથમ બુદ્ધિની નિર્મળતા અતિઆવશ્યક છે, ત્યાર બાદ બુદ્ધિની તીણતા પણ જરૂર આવકાર્ય છે. (પૃ.૯૪) - જે તાત્પર્યાર્થિને ઉદ્દેશીને પ્રભુએ ધર્મ ભાખેલો છે તેને બાધ આવે તે રીતે ધર્મશ્રવાણ થાય તો તે ધર્મની અરુચિ જાગવી. (પૃ.૧૦) - મિથ્યાત્વથી મોહિત મતિવાળા લોકો જે પરમાર્થને કર્તવ્યરૂપે ન જાણી શકે તે લોકોત્તર તત્વ કહેવાય. (પૃ. ૧૧૫) - ગુરુપરતંત્રતાને છોડી સ્વતંત્ર રીતે થતી આરાધના = મડદાના સોનેરી શણગાર, (પૃ. ૧૨૭) - કાર્યસિદ્ધિનો અદ્વિતીય વિશ્વાસ પુરુષાર્થને બળવાન + અપ્રમત્ત બનાવી કાર્યસિદ્ધિ લાવે છે. (પૃ.૧૪૫). - શાસ્ત્રવિહિત સર્વ અનુકાનો પોતપોતાની મર્યાદામાં બળવાન જ છે. (પૃ.૧૭) - સ્વામીકૃત અને સ્વરૂપકૃત બન્ને શુદ્ધિ જે પ્રયત્નમાં ભળે તે પ્રયત્ન થતના સ્વરૂપ બને, (પૃ.૧૫૮) સંશોઘન અને પ્રણવીકાર પરમાવ્યપાદ વર્ધમાનતપોનિધિ સંઘહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ. દાદાગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની અનરાધાર દિવ્ય કૃપાથી કલ્યાણકંદલી અને રતિદાયિની વ્યાખ્યાનું સર્જન થઈ શકયું છે. મારા સંયમ ઉધાનને નવપલ્લવિત બનાવવામાં અદ્વિતીય ભાગ ભજવનાર પૂજ્યપાદ પરમોપકારી સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના આશિષ આ સર્જનમાં મુખ્ય ચાલકબળ છે. તેઓશ્રીએ આ ગ્રંથના અમુક ભાગનું સંશોધન કરી આપવાની પણ ઉદારતા દાખવેલ છે. ભાષહસ્થની મોકારત્ના ટીકાનું સંશોધન કરીને મારા ઉપર ઉપકારવર્ષ કરનાર દર્શન પરિકિર્મિતમતિ પૂજ્યપાદ જગચંદ્રસૂરીશ્વરજી મહારાજને વ્યાખ્યાયયુ કત ૯માં થોડશકનું સંશોધન કરીને ઉપકારશૃંખલાને લંબાવી છે તે પણ અવિસ્મરણ રહેશે. પર દકા જોડશકના ૧૫ બ્લોકના સંશોધનમાં શાસનપ્રભાવક પૂજ્યશ્રી ગુણરત્નસૂરિજી મહારાજે તથા વિધેશ્ય પૂજ્ય શ્રીરાજશેખરસૂરિજી મહારાજે પાગ જે રસ બતાવેલ તે બદલ તેઓશ્રીનો પાગ હું ઋણી છું. : પ્રજ્ઞાશીલ પૂજય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે ટીકાદ્રયયુકત ૧૧ મા ષોડશકનું સંશોધન કરવાની ઉદારતા બતાવી તે બદલ તેઓશ્રીના પાગ હું ખૂબ આભારી છું. પ્રશાંતસ્વભાવવિભૂષિત પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી મુનિચંદ્રવિજયજી ગણિવરે સામે ચાલીને પૂ.પં.કાંતિવિજયજી ગણિવરે સંશોધિત કરેલ પડશક-યોગદીપિકાના સુધારેલા પાકોની નોંધ મોકલીને મને ઉપકૃત કરેલ છે, તે લાગણી ભૂલી નહિ શકાય. ગંભીરસ્વભાવવાળા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી કુલચંદ્રવિજયજી ગણિવરે બન્ને નવ્યવ્યાખ્યાયુકત આઠમા પોડશકનું સંશોધન કરીને જમ્બર શ્રુતભક્તિ કરી છે, તે સદા હૃદયાંકિત જ રહેશે. જિક તત્વચિંતામણિ વગેરે ગહન ગ્રંથોનું મને નિઃસ્વાર્થભાવે અધ્યયન કરાવનાર પરમોપકારી વિદ્યાગુરૂદેવ પંન્યાસપ્રવરશ્રી જયસુંદરવિજયજી ગણિવરના ઉપકારો કઈ રીતે ભૂલાય ? આ ગ્રંથમાં પણ અનેક સ્થળે સંશોધન + મહત્ત્વનું માર્ગદર્શન આપવાની ઉદારતા તેઓશ્રીએ દાખવેલ છે. જના જમીન ની વિભાગોના નામની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy