SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને વિ.સં. ૨૦૫૦ મહા સુદ-૫ના શુભ દિવસે મારા ગુરૂદેવશ્રીના આશિષ લઈને લખાણ શરૂ કર્યું. મારા ભવોદધિતારક ગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મ.સા.ના ઉપકારોની સ્મૃતિમાં પ્રસ્તુત સંસ્કૃત ટીકાનું કલ્યાગકંદલી' નામ નિશ્ચિત કર્યું. અન્ય ધર્મો પ્રત્યેનો દ્વેષભાવ-ધિકારભાવ વાચકવર્ગના મનમાંથી દૂર થાય અને જિનોકત મધ્યસ્થભાવ કેળવાય- આ આશયથી દરેક નાનામાં નાના વિષય સંબંધી સ્વદર્શન અને પરદર્શનના શકય તેટલા વધુમાં વધુ સાક્ષી પાઠો મેં કલ્યાણકંદલીમાં રજુ કર્યા છે. કયારેક તો સ્વદર્શન કરતાં પરદર્શનની રાંવાદો વધુ બતાવેલા છે. જેથી સત્યાગ્રહ નહિ પણ સત્યનિકાસ્વરૂપ મધ્યસ્થતા આત્મસાતુ થાય. ભક્તિ, વૈરાગ્ય આદિના માધ્યમથી મિથ્યાત્વ જ્યારે અત્યંત મંદ બને છે ત્યારે માર્થાનુસારી કરાયોપશમના પ્રભાવથી અન્યદર્શનીના અંત:સ્થલમાંથી ઉદ્ભવતા તટસ્થ વચનો કેવા અર્થત: જિનવચનસમાન જ હોય છે ? એ જાણ્યા પછી પરદર્શનષ તો રવાના થાય જ છે. પરંતુ સાથે સાથે તીર્થકરકથિત ત્રિકાલાબાધિત તત્ત્વો પ્રત્યેની આસ્થા અસ્થિમજાવતું બને છે. અનુભૂતિના સ્તરથી આ તારક સત્ય સમજાયું. તથા આ અબાધ્ય સત્ય વધુ વ્યાપક રીતે નિશાનના સભ્યો સુધી પહોંચે - એવું વર્તમાન કાળમાં અતિઆવશ્યક જગાવાથી પરદર્શનસંવાદો કલ્યાણકંદલીમાં દરર રન કર્યા છે. મૂળકારશ્રી સમક્ષ ઉપસ્થિત સ્વ-પરદર્શનના પ્રાચીન ગ્રંથોમાં અને ત્યાર બાદ રચાયેલ ગ્રંથોમાં આ ૧૪ પ્રકરણના પદાર્થો કઈ રીતે રજુ કરવામાં આવેલ છે ? તેમાં પ્રસ્તુત પ્રકારની કેટલી છાયા રહેલી છે ? આ વાતોની સ્પષ્ટ સમહત મળે તે આશયથી એકસરખાં ભાવવાળા અનેક ગ્રંથોના સાક્ષીપાટો કલ્યાણકંદલીમાં રજુ કરેલ છે. આ પ્રકારના શાસ્ત્ર સંદભથી ઈતિહારારરિક વિદ્વાનોને પણ એક નવો જ પ્રકાશ પ્રાપ્ત થશે. જેમ જેમ સર્જનયાત્રા આગળ ચાલી તેમ તેમ હુરાગાઓમાં દેવ-ગુરૂની કૃપા જીવંત પ્રતિબિંબિત થવા લાગી અને ૯ મહિનાના ગાળામાં સ્વદર્શનના અનેક આગમ ગ્રંથો- કરાગ ગ્રંથો અને પરદર્શનના વેદ, ૩૫થી વધુ ઉપનિષતુ, સ્મૃતિ, પુરાણ આદિ ગ્રંથો, બૌદ્ધ, યોગ, સાંખ્ય આદિ ૬ દર્શનના ગ્રંથો, અલગ અલગ દર્શનોની ૧૦ ગીતા, તથા કાલીદાસ-બાણભટ્ટ વગેરેના વચનોનો સમન્વય કરતી ‘કલ્યાણકંદલી' ટીકા ગુરૂકૃપાથી સંપૂર્ણ થઈ. પરિશિષ્ટ-૪માં તે તે ગ્રંથોનો નિર્દેશ કરેલ છે, તેના આધારે વાચકવર્ગ તે તે સ્થાનોનું અવલોકન કરીને પોતાની જ્ઞાન પિપાસાનું શમન કરી શકશે. ગુજરાતી - રતિદાયિની વ્યાખ્યામાં ગાથાર્થ - ટીકાર્ય - વિશેષાર્થનો કમ જાળવીને, વર્તમાન દેશ-કાળ વગેરેને ખ્યાલમાં રાખીને, મૂળ અને યોગદીપિકાનું વિવેચન ગુરૂકૃપાથી થયેલ છે. જિનશાસનની સાનુબંધ પ્રકૃષ્ટ સેવા કરવાની નિર્મલ ભાવનામાંથી ઉદભવેલ આ એક નમ્ર પ્રયાસ છે, તેનાથી મારા હૃદયમાં ભગવબહુમાનની પરાકાષ્ઠાનો અપૂર્વ અનુભવ પ્રાપ્ત થયો છે. કલ્યાણકંદલીમાં જે તાત્પર્યાથનું સફરાગ થયું તેના કરતાં અલગ પ્રકારના ભાવાર્થોનું અફરાગ અનેક સ્થળે રતિદાયિની-ગુજરાતી વ્યાખ્યામાં થયું. વિભિન્ન દષ્ટિકોણથી ઉદભવેલા તે તે તાત્પર્યા-ભાવાર્થોને સંસ્કૃત-ગુજરાતી વિવરાગમાં મૂકેલાં છે. માટે માત્ર કલ્યાાણકંદલી ટીકા કે માત્ર રતિદાયિની વ્યાખ્યાના અવલોકનથી નહિ પાગ તે બન્નેના અવગાહનથી ૧૪ મારા વકતવ્યને વિશદરૂપે વાચકવર્ગ રામજી શકશે - એવું હું માનું છું. તથા એવું થશે તો જ વિજ્ઞ વાચકવૃંદે મને ન્યાય આપ્યો ગણાશે. પ્રસ્તુત પ્રથમ ભાગમાં રતિદાયિની વ્યાખ્યામાં આવતા કેટલાક વિશિષ્ટ ઉપયોગી વાક્યોની નોંધ નીચે આપવામાં આવેલ છે, - ત્રિકાલઅબાધિત સૈદ્ધાંતિક તારક તત્ત્વ એ જ ધર્મ છે અને તેને સારી રીતે આત્મસાત્ કરનાર જ વાસ્તવમાં ધર્મ છે. (પૃ.૫) - આગાઢ અપવાદના સ્થાનમાં ઉત્રાર્ગને વળગી રહેવું તે આચારની મધ્યમકક્ષા છે. (ઉત્કૃષ્ટ કક્ષા નહિ.) (પૃ.૭) - અંદર ભાવ ચારિત્ર પ્રગટ થયું હોય તો અવશ્ય જીવનમાં સદાચાર જ હોય, અસત્ આરંભ-સમારંભ ન હોય. (પૃ.૧૪) x-ray જેવી વેધક વિવેકટિના પ્રભાવે જ પંડિત જીવો અનુમાનના આંતરિક સ્વરૂપને પારખી શકે છે. (પૃ.૧૬) - વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરનારના ઉગ્ર ચારિત્રાચાર અશુદ્ધ જ જાગવા. (પૃ.૧૮) - શબ્દોની સંગ્રહાગી અને વિચારોની કબજીયાતવાળા વાક્યોથી સમૃદ્ધ શાસ્ત્રને આગમતત્ત્વ માની ન શકાય. (પૃ.૨૦) ધર્મપુરુષાર્થને હય બતાવી મોક્ષ જ એક ઉપાદેય હોવાની વાત બાલ જીવને કરવામાં જોખમ છે. (પૃ.૩૮) - વિશુદ્ધ ગુરુપરતંત્ર્ય પરમગુરુપ્રાપ્તિનું બીજ છે. (પૃ.૪૯) - ગુંદરપાક પચાવી શકે તેવા મહાન અતિથિને માત્ર મગનું પાણી આપીને રવાના કરવા તે હકીકતમાં તેનું અપમાન છે. (પૃ.૫૨) - ધર્મના કેન્દ્રસ્થાનમાં જિનાજ્ઞાની આરાધના છે અને અધર્મના કેન્દ્રસ્થાનમાં જિનાજ્ઞાની વિરાધના છે. (પૃ. 3) - જ્યાં શાસ્ત્ર ત્યાં સર્વજ્ઞ, (પૃ.૫૬). || - શાસ્ત્ર સિવાયનું એટલું બધું વાંચન થાય છે કે શાસ્ત્ર વાંચવાની રુચિ જ મોટા ભાગે મરી પરવારે છે. (પૃ.૫૩) - કર્મસત્તાને ઉધારધંધા માન્ય નથી. (પૃ.૩૧). -- -- - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy