SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २२. षाडशकप्रकरणं માત્ર ટિપ્પણ રચેલ છે, ટીકા (વ્યાખ્યાત્મક ગ્રંથ) નહિ. અન્ય પ્રકાશનોમાં આ ટિપ્પાને શ્રીયશોભદ્રસૂરિજીની ટીકામાં ઉમેરીને ઉપાધ્યાયજીની ટીકા તરીકે મુદ્રિત કરવામાં આવેલ છે. બન્ને ટીકામાં અક્ષરશ: ઘણું સામ્ય મળે છે. તેનાથી પાગ ઉપાધ્યાયજી મ.ની સ્વતંત્ર ટીકા માની ન શકાય.'' – પરંતુ આ વાત બરાબર નથી. આના અનેક કારણો છે. (૧) પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં કયાંય પણ ષોડશક ઉપર ઉપાધ્યાયજી મ.નું ટિપ્પણ નહિ પણ સંપૂર્ણ ટીકા જ પ્રાપ્ત થાય છે. (૨) મહોપાધ્યાયજી મ.ના લખાણમાં પ્રારંભમાં અને અંતમાં “સંતાવાદિની ચાચા' આવો ઉલ્લેખ મળે છે તેમ છેલ્લે ‘ વિના-રિરિતી રીપિકાનાની પરવૃત્તિઃ સપૂ' આવો હસ્તલિખિત પ્રતમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૩) કેટલાક સ્થળે તો (૩ ૨ વગેરે) ઉપાધ્યાયજી મહારાજ અને શ્રીયશોભદ્રસૂરિજીની ટીકામાં ઘણો જ તફાવત પાણ પ્રાપ્ત થાય છે. (૪) કેટલાક સ્થળે (૪ ૧૬ વગેરે) પોતાનો અભિપ્રાય બતાવ્યા બાદ શ્રીયશોભદ્રસૂરિજીનો મત પગ ઉપાધ્યાયજી મહારાજ બતાવે છે. (૫) કેટલાક (૧૩/૪, ૧૪ ૭ વગેરે) સ્થળે સુગમાર્થક૫નાવૃત્તિ કરતાં અલગ વ્યાખ્યા કરીને પોતાનો અભિપ્રાય બતાવ્યા બાદ શ્રીયશોભદ્રસૂરિજીના વચનની સંગતિ પાંગ યોગદીપિકા ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે. આવા અનેક મુદ્દાઓને નજરમાં રાખીએ તો ‘ઉપાધ્યાયજી મહારાજે ષોડશક ઉપર માત્ર ટિપ્પાગ રચેલ છે અથવા તે ટિપ્પાનને શ્રીયશોભદ્રસૂરિજીની ટીકામાં ઉમેરવામાં આવેલ છે' આવું કહેવાનું દુ:સાહરા ન થાય, હા, એમ જરૂર કહી શકાય કે ૧૭મા સૈકામાં થનાર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ૧૨મા સૈકામાં થનાર શ્રીયશોભદ્રસૂરિજીની ‘સુગમાર્થક૯પના' ટીકાને નજર સામે રાખીને તેમાં અવસરોચિત અનેક પરિષ્કાર કરીને તથા તક અને આગમનું સંતુલન જાળવી અનેક નવી ચર્ચાઓથી સમૃદ્ધ એવી ‘યોગદીપિકા' નામની સ્વતંત્ર ટીકા જ રચેલી છે. 'યોગદીપિકા'ના વિષયોનો પરિચય પ્રસ્તાવનામાં જ કરવામાં આવેલ છે. પોડશકની વિવિઘ ઢીકાઓ અને વિવેચનો પૂર્વે પોડશક ગ્રંથ ઉપર (૧) શ્રીયશોભદ્રસૂરિકૃત સુગમાર્થક૫ના ટીકા (૨) મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરરચિત ‘યોગદપિકા' ટીકા (૩) ઉપાધ્યાય શ્રીધર્મસાગરગગિકૃત ટીકા' (1) 'અજ્ઞાતકક ટીકા. (૫) બાલાવબોધિની વ્યાખ્યા રચાયેલ છે. આમાંથી ૩ અને ૪ વર્તમાનમાં અપ્રાપ્ય છે. ઈતિહાસ સ્વયં પુનરાવર્તન પામે છે.' એમ ઉકિત બાલાવબોધિની વ્યાખ્યામાં પ્રતિબિંબિત થાય છે. જેમ ‘દ્રવ્યગુગપર્યાયનો રાસ' આ ગુજરાતી કૃતિના આધારે ‘દ્રવ્યાનુયોગતકાગા' નામનો સંસ્કૃત ગ્રંથ રચાયો છે તેમ છે.રા. ૧૯૩૬માં કેશવલાલ જૈન તરફથી પ્રકાશિત થયેલ છોડશકના ગુજરાતી વિવેચનના આધારે ઈ.સ. ૧૯૫૨માં અમદાવાદ-લુહારપોળ તરફથી પ્રકાશિત થયેલ પડશક-બાલાવબોધિની સંસ્કૃત વ્યાખ્યા રચાઈ - તેવું પ્રાય: કહી શકાય. કેશવલાલ જૈન તરફથી માત્ર પ્રથમ આઠ ષોડશકનું ગુજરાતી વિવેચન પ્રકાશિત થયેલ અને બાલાવબોધિની વ્યાખ્યા પણ માત્ર પ્રથમ આ ષોડશક ઉપર જ પ્રકાશિત થયેલ છે. ગુજરાતી ભાષામાં (૧) પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી મ.ના ષોડશક ઉપર પ્રવચનો નામ – ‘ષોડશ પ્રકરણદર્શન' (૨) પૂજ્યપાદ દાદાગુરૂદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જૈન ધર્મનો સરળ પરિચય'' પુસ્તક-ભાગ.૨માં દરેક ષોડશકના પદાર્થોનું સંક્ષેપમાં સ્પષ્ટીકરણ અને વર્ગીકરણ (૩) પૂ.પ્રવર્તકશ્રી ધર્મગુમવિજયજી મ.સા.નું ષોડશક પ્રવચનો’ પુસ્તક (૪) કેશવલાલ જૈન પ્રકાશિત ‘પડશક ગ્રંથ-વિવરાગ’ (૫) પૂ. મુનિરાજશ્રી અમીતયશવિજયજી મ. તરફથી અનુવાદિત થયેલ ષોડશક મૂળગ્રંથ અને તેનો ભાવાનુવાદ (બેંગ્લોરગાંધીનગરથી છપાયેલ છે.) (૬) પૂ.મુનિરાજશ્રી રત્નજ્યોતવિજયજી તરફથી અનુવાદ થયેલ ષોડશકનું ગુજરાતી વિવરાગ, મારા જાણવા મુજબ પોડશક ઉપર આટલી સંસ્કૃત-ગુજરાતી રચનાઓ-વ્યાખ્યાઓ છે. (પ્રત પ્રકાશનમાં આધારભૂત સામગ્રી) ઈ.સ. ૧૯૧૧માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તક ફંડ તરફથી પ્રકાશિત થયેલ વોડશક પ્રકરણ-પ્રત (સુગમાર્થકલ્પનાવૃત્તિ + યોગદીપિકા ટીકાયુકત) ના આધારે પૂજ્ય વિચક્ષણસૂરિજીની પ્રેરણાથી ઓફસેટ પ્રિન્ટ કરેલી પ્રત મારી પાસે પ્રારંભમાં આધારભૂત હતી. પરંતુ તેમાં ૫૦થી વધુ અશુદ્ધિઓ હતી. તેમાં અમુક સ્થળે સામાન્ય અશુદ્ધિ હતી. (જૂઓ પૃક ૮, 13, ૧૫, ૧૩, ૬૭, ૩૪, ૭૫, ૮, ૯૩, ૧૯૨, ૧૩૯, ૧૪૫, ૧૭૮, ૧૯૮૫, ૨૩૭, ૨૩૮, ૨૫૨, ૨૫૮, ૨૬૪, ૧. હિરાલાલ કાપડીયાના ‘આચાર્ય હરિભદ્રસૂરિ' લેખના આધારે, Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy