SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પોડા પ્રરનું કલ્યાણકંદલીકારના હૃદયોદ્ગાર અહીં સુધી આવતા પહેલાં વિજ્ઞ વાચકવર્ગને પ્રકાશકીય નિવેદન, પ્રસ્તાવના, સંશોધકીય વકતવ્ય, સંશોધકીય ઉર્મિ વગેરેના માધ્યમથી પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાત/પશ્ચાત્ ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી મળી ચૂકેલ છે જ. તેમ છતાં અકથિતના અનોખા કથન માટે, ગુપ્ત વાર્તાના રસપ્રદ ઉદ્ઘાટન માટે સુજ્ઞ પાઠકવૃંદ સમક્ષ ઉપસ્થિત થવું મને આવશ્યક જણાય છે. મૂળ ગ્રંથ સુધી પહોંચવામાં અધિકૃત મુમુક્ષુવર્ગને વિલંબ ન થાય તે માટે મારા વક્તવ્યને સંક્ષેપમાં આઠ મુદ્દાઓમાં સમાવી લઉં છું. ચાલો, એક-એક મુદ્દાઓને જાણીએ, માણીએ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સાહિત્યની વ્યાપકતા ૧૪૪૪ ગ્રંથના સર્જનહાર તરીકે જેમની ખ્યાતિ જિનશાસનમાં ફેલાયેલી છે. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના વર્તમાન કાળમાં લગભગ ૬૫ જેટલા મુદ્રિત ગ્રંથો ઉપલબ્ધ થાય છે. આ સાહિત્યમાં આગમિક પદાર્થો, દાર્શનિક પદાર્થો, કાર્યગ્રન્થિક પદાર્થો, પૌરાણિક પદાર્થો, આધ્યાત્મિક પદાર્થો, જ્યોતિષવિષયક પદાર્થો, વૈરાગ્યદ્યોતક પદાર્થો, કાવ્ય-છંદ-અલંકારદિગોચર પદાર્થો વગેરે વિષયવૈવિધ્ય તેમની સર્વતોમુખી પ્રતિભાનો અવિચલ વિશ્વાસ પેદા કરાવે છે. અતિજટિલ તાર્કિક મીમાંસાથી ભરપુર અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે ગ્રંથોમાં વાચકની બુદ્ધિને સ્ખલિત કરતી તેમની કલમ વેગવંતી છે, તો સમરાદિત્યકથા વગેરે વૈરાગ્યભરપૂર ચરિત્રગ્રંથોમાં પણ તેઓની લેખની રસાળતાને ધારણ કરે છે. યોગષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, યોગશતક વગેરે ગ્રંથોમાં યોગદર્શનના જૈનદર્શનને માન્ય પદાર્થોનો સચોટ સમન્વય કરવાની કળા તેમની માર્ગસ્થ અને મધ્યસ્થ એવી મૌલિક પ્રતિભાને વરેલી છે.-એવી પ્રતીતિ કરાવે છે. નંદીટીકા, પદ્મવગાટિપ્પણી, આવશ્યકનિર્યુક્તિ ટીકા વગેરેમાં આગમ જેવા ગહન ગ્રન્થરત્નો ઉપર તેમની અનોખી પ્રેક્ષાશક્તિનો પરિચય થાય છે. તત્ત્વાર્થટીકા વગેરેમાં તેમની દ્રવ્યાનુયોગાદિવિષયક માર્મિક મતિનો આવિષ્કાર પ્રગટ જ છે. દશવૈકાલિક ટીકા, પંચાશક, પંચવસ્તુ, શ્રાવકપ્રજ્ઞમિટીકા શ્રાધર્મવિધિ આદિ ગ્રંથોમાં સાધુ અને શ્રાવકના આચારો વિશે તેઓનો સૂક્ષ્મ અને સુવિશુદ્ધ બોધ છલકાય છે. ધૂર્તઆખ્યાનક જેવા ગ્રંથોમાં તેઓશ્રીએ પુરાણ, ઉપનિષદ્, ઈતિહાસ આદિનું કેટલું સૂક્ષ્મ અવગાહન કર્યું છે ? તે આંખે ઉડીને વળગે છે. સમરાદિત્ય કથા જેવા વૈરાગ્યભરપૂર ગ્રંથમાં પણ છંદ, અલંકાર, કાવ્ય વગેરેનું સાહિત્ય પીરસવાની તેમની કળા દાદ માંગી લે તેવી છે. લગ્નશુદ્ધિ વગેરે ગ્રંથોમાં તેમનું જ્યોતિષવિષયક વિશિષ્ટ વિજ્ઞાન પણ છૂપાયા વિના રહેતું નથી. આ તો એક દિગ્દર્શનમાત્ર છે. બાકી એમની એક-એક કૃતિઓનો ઊંડાણથી પરિચય કરીએ તેમ તેમ તેમની સર્વવ્યાપી સૂક્ષ્મ પ્રજ્ઞા ઉપર અહોભાવ, આદરભાવ વધતો જ જાય. એમના સાહિત્યની પ્રામાણિકતા સર્વ વિદ્વાનોના હૃદયોમાં પ્રતિષ્ઠિત થયેલ હોવાથી જ તેઓશ્રીના વચનો ટંકશાળી કહેવાય છે. આથી જ યોગદષ્ટિસમુચ્ચય, યોગબિંદુ વગેરે ગ્રંથોની ગાથામાં માત્ર થોડો શાબ્દિક ફેરફાર કરીને ૩૦ થી વધુ ગાથા દિગંબર આચાર્ય અમિતગતિએ સ્વરચિત યોગસારપ્રાભૂત ગ્રંથમાં સમાવેલી છે. આના ઉપરથી એક હકકીત સ્પષ્ટ થાય છે કે દિગંબરસંપ્રદાય પણ તેઓશ્રીના સાહિત્યથી લાભાન્વિત થયેલ છે. શ્રીયાકિનીમહત્તરાસૂનુના તે તે ગ્રંથના વૃત્તિકારોએ તેઓના જ ગ્રંથોની વૃત્તિમાં ઉપયોગ કરેલો છે. તે વાત તો અતિસુપ્રસિદ્ધ છે. પરંતુ નવાંગીટીકાકારશ્રી પણ આગમની ટીકામાં પૂજ્યશ્રીના વચનોને આગમિક વાતોના સમર્થનમાં બતાવે છે. આ વાત સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના સાહિત્યની વિશ્વસનીયતામાં જબ્બર વધારો કરે છે. ષોડશંક પ્રકરણની વ્યાપકતા પ્રસ્તુત ષોડશક પ્રકરણના વિષયો ઘણા જ વ્યાપક, ઉપયોગી અને આવશ્યક હોવાથી જ અનેક અર્વાચીન-પ્રાચીન શાસ્ત્રકારો પોતાના સ્વતંત્ર ગ્રંથો કે ટીકાગ્રંથોમાં ષોડશક પ્રકરણના વચનોનો સાક્ષીપાદરૂપે છૂટથી ઉપયોગ કરે છે. આની જાણકારી માટે એમ કહી શકાય કે આગમગ્રંથોમાં ઠાણાંગજી વગેરેની ટીકામાં ષોડશકનો હવાલો મળે છે. ગદગુરૂશિષ્ય ઉપાધ્યાયશ્રી કીર્તિવિજયજી મ.સા. વિચારરત્નાકર જેવા માત્ર આગમિક પદાર્થોનું સ્પષ્ટીકરણ કરતા ગ્રંથમાં પણ ષોડશકની સાક્ષી આપે છે. ષોડશકના પદાર્થોનું સ્વકીય ગ્રંથોમાં નિરૂપણ પણ અનેક ગ્રંથકારે અને ટીકાકારોએ કરેલ છે, તેમ જ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy