SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તો સંસ્થાના નામે ટીપમાં લખાવે, આ કામ સારું નથી. ઘણા તો “આ બધો રૂપિયી અમારા તડાનો-પંચનો-મહાજનનો-સંઘનો છે, તે અમારી પાસે જ રહેવા જોઈએ' એવો આગ્રહ રાખે છે. બીજા તડા-પંચ-મહાજન કે સંઘને આપવાની વાત જ નહિ; આ માનસિકતા પણ મોટું પાપ બંધાવે છે. વહીવટદારોને આવી વ્યવહાર કરવાનો કોઈ અધિકાર નથી. જે સંસ્થામાં આવા વહીવટદારો હોય તે સંસ્થા હસ્તકના વહીવટમાં શ્રાવકે ચડાવો બોલવો નહીં કે કોઈ લાભ લેવો નહિ એવું કહેવું પડે એવા દિવસો આવી લાગ્યા છે. સભા: શરત કરીને સાધુ ચોમાસુ કરવા આવે તો એ રીતે ચોમાસુ કરાવવું કે નહીં ? શાની શરત ? સભા : “ચોમાસામાં જે આવક થાય તેના આટલા ટકા અમને આપવા' એવી શરત. સાધુ આવી શરત કરે જ શા માટે ? પૈસાથી જે કામો કરવાનાં હોય, એવાં તો કોઈ કામ સાધુએ કરવાનાં જ નથી, તો સાધુને પૈસાની જરૂર જ ક્યાં રહી કે તે એવી શરત કરે ? સભાઃ એમના હસ્તક કોઈ પ્રોજેક્ટો ચાલતા હોય તેને માટે કરે ને ? સાધુએ એવા કોઈ પ્રોજેક્ટો કરવાના જ નથી. જે વસ્તુ સાધુએ ન કરવાની હોય તેમાં તમારાથી પ્રોત્સાહન શી રીતે અપાય ? સભા ન આપીએ તો એ ચોમાસુ કરવા ન આવે તો અમારે શું કરવું? જે એવી શરતો ન કરે તેમને લાવવા, પણ એ તમને નહિ પાલવે; કારણ કે, ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે વહીવટદારો ગમે તેવો વહીવટ કરતા હોય એમાં જે ડખલગીરી ન કરે એવા જસાધુ એને જોઈએ. પોતાની આવકમાંથી ૩૦ થી ૫૦ ટકા આપીને પણ પોતાના આપખુદ વહીવટમાં ક્યાંય હસ્તક્ષેપ ન કરે અને जिणभवणकरणविही, सुद्धा भूमि दलं च कट्ठाई। भियगाणतिसंधाणं सासयवुड्डि य जयणा य ।। - નદિ પ્રવા૨ા. ૭૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy