SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અહિત થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં બીજી પણ કેટલીક સ્પષ્ટતા કરી લઉં કે, વહીવટદાર બનવા માટે પૂરેપૂરા બાર ગુણ હોય તો તે સૌથી શ્રેષ્ઠ છે, પણ જો કદાચ તેવું ન બને તો ઓછામાં ઓછા પાંચ ગુણ તો હોવી જ જોઈએ. પાંચ ગુણવાળી વ્યક્તિ જઘન્ય કક્ષાની, છથી અગિયાર ગુણવાળી વ્યક્તિ મધ્યમ કક્ષાની અને બાર ગુણવાળી વ્યક્તિ ઉત્કૃષ્ટ કક્ષાની અધિકારી બને છે. જે વ્યક્તિમાં બાર ગુણ પૂરા ન હોય પણ ઓછા ગુણો હોય, તેને માટે પણ કયા ગુણ ન હોય તો ચાલે અને કયા ગુણ તો હોવા જ જોઈએ, એ પણ સમજવું પડે. ગુણોના વિષયમાં આ મુખ્ય-ગૌણભાવ બહુ જ અગત્યનો છે અને એ માટે ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન આવશ્યક બને છે. માટે જ વહીવટદારની નિયુક્તિ કરતાં પૂર્વે શ્રીસંઘના અગ્રણીઓએ ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન મેળવવું અતિ અનિવાર્ય છે. આપણે ત્યાં ક્યારેય પણ ઈલેક્શન ચૂંટણી પદ્ધતિ ન હતી, પણ સિલેક્શન શૈલી હતી. આ સિલેક્શન કરવાનું કાર્ય પણ ધર્મના અધિકૃત જાણકારો દ્વારા કરાતું અને એ માટે તેઓ ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન લેતા. પૈસાના જોરે, મોભાના જોરે, લાગવગના જોરે, દાંડાઈ કરીને, કોઈને દબાવીને, મેલી રમતો રમીને કે કાયદાના જોરે ધર્મક્ષેત્રમાં દાખલ થવું કે આગળ આવવું એ શ્રીસંઘ અને શાસનનો મોટામાં મોટો અપરાધ છે. એનાથી એનું પોતાનું, શ્રીસંઘનું અને શાસનનું કારમું અહિત થાય છે. છેલ્લે એનું અને એના સમર્થકોનું તો અતિ કારમું અહિત થાય છે. સભાઃ હમણાં જ આપે કહ્યું કે ટ્રસ્ટી બનનાર ધનવાન જોઈએ, તો હવે આપ એમ કેમ કહો છો કે, પૈસાના જોરે ટ્રસ્ટી બનવું એ ધર્મશાસ્ત્રનો અપરાધ છે ? મારી કહેલી વાતને તમે બરાબર સમજી નથી શક્યા, માટે તમને આ પ્રશ્ન १-हमेशा शुभध्यान, २- असार ऐसी लक्ष्मी के फल रूप दान, शील, तप एवं भाव : यूं चार प्रकार के श्रेष्ठ पुण्य की प्राप्ति, ३ - शासन प्रभावना एवं ४ - तीर्थंकर पद की प्राप्ति : ये लाभ तीर्थयात्रा से प्राप्त | હતી - યથારી | હવામાન ખાતા પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy