SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાના જોરે ટ્રસ્ટી બની બેઠેલાઓને ધર્મ કે ધર્માચાર્ય સાથે કશી જ લેવાદેવા નથી. માટે જ શ્રીસંઘ અને સંઘનાં તમામ અંગો આજે સિદાઈ રહ્યાં છે, નિંદાઈ પણ રહ્યાં છે. તેથી પોતે પણ સારો અને સ્વજનો પણ સારાં જોઈએ. ૨ - વિત્તિસંનુમો - ધનવાન-ન્યાયસંપન્ન ધનવાળોઃ २ - वित्तसंयुतो - द्रव्यपतिः । अनीदृशस्य हि तदारब्धमपि न सिद्ध्यति, तदसिद्धौ च खेदभाजनं भवति । पराभ्यर्थनाद्वारेण तत्साधयन्नपि जनहास्यो भवति "अहो जिनभवनकारणव्याजेनायं कुटुम्बं पुष्णाति" संभावनाहेतुत्वादिति । ધનવાન ધનવાન ન હોય તો શરૂ કરેલું કાર્ય પૂરું કરી શકે નહિ, આથી તેને ખેદ થાય. બીજાની પાસેથી ધન માગીને કાર્ય પૂરું કરે તો લોકમાં હાંસીપાત્ર બને, અજ્ઞાન લોક, “જિનમંદિર બંધાવવાના બહાને પૈસા લઈને આ વ્યક્તિ પોતાના કુટુંબનું પોષણ કરે છે', એવી અનેક કુશંકાઓ કરે. ધર્મક્ષેત્રનું સંચાલન કરવા માટે જરૂરી બારગુણો પૈકી બીજો ગુણ છે, ધનવાન હોવું તે.જે ધનના કારણે વ્યક્તિ ધનવાન કહેવાય છે, તે ધન પુણ્યોદયથી ન્યાયના માર્ગે પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. આરાધક બનવા માટે ધનની આવશ્યકતા નથી, પણ પ્રભાવક બનવું હોય તો ધન પણ એક સાધન તરીકે ઉપયોગી બની શકે છે. પૂર્વે શ્રીસંઘ હસ્તક કરાતાં શ્રી જિનમંદિરનિર્માણ આદિ કાર્યોમાં કે ગુરુભક્તિસાધર્મિક ભક્તિનાં કાર્યોમાં સક્ષમ વ્યક્તિઓને સાથે રાખતા. કોઈ જરૂર ઊભી થાય તો, શ્રીમંત એકલો જ બધું પતાવી દે, સંઘના માથે કશો ભાર ન રહેવા દે. અવસરે ધર્મદ્રવ્યની કોઈ ઉચાપત કરી જાય, કોઈની ઉઘરાણી ન આવી શકે તેમ હોય તો પોતે જ લાભ લઈ ભરપાઈ કરી દે; પણ શ્રીમંતાઈ બતાવવા કે બીજાને દબાવવા વગેરે કારણે શ્રીમંતોને ઊભા ન રખાય. સભા: એવી શક્તિ ન હોય એણે ટ્રસ્ટી ન બનવું ? જેનામાં વહીવટદાર બનવાની યોગ્યતા ન હોય તેણે ન જ બનવું જોઈએ. યોગ્યતા વગર અધિકાર હાથમાં લેવાથી પોતાનું, શ્રીસંઘનું અને શાસનનું, દરેકનું सदा शुभध्यानमसारलक्ष्मी - फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः । तीर्थोत्रतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ।। - પ્રિયંજનુયા ૬૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન AND Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy